Abtak Media Google News

હેમુગઢવી નાટ્યગૃહમાં પુસ્તકનું વિમોચન કરશે: કાર્યક્રમ સંદર્ભે વિડિયો કોન્ફરન્સ યોજાઈ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી તા.૨૧ને શનિવારના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે. તેમના રાજકોટ પ્રવાસને લઈ આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓની વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી તા.૨૧ને શનિવારના રોજ રાજકોટના હેમુગઢવી નાટ્ય ગૃહ ખાતે યોજાનારા એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ઉપસ્તિ રહેશે. આ કાર્યક્રમને લઈ આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર, શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.