આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દીકરીના જન્મ પ્રમાણ સામે જનજાગૃતિ કેળવાય અને દીકરીના જન્મ પ્રત્યે સમાજની સંવેદનશીલતા વધે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતગર્ત મહિલા શક્તિને વધાવવા અને બિરદાવવા માટે આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી. આ દિવસે ગુજરાતમાં જન્મ લેનારી પ્રત્યેક દીકરીને નન્હી પરી અવતરણ તરીકે વધાવવામાં આવી રહી છે. આજે અવતરિત થનાર દીકરીઓના પરિવારજનોને એકતરફ લક્ષ્મીજી અને બીજી તરફ સરસ્વતી માતાની મુદ્રાવાળો પાંચ ગ્રામનો ચાંદીનો સિક્કો અર્પણ કરતાં સગૌરવ આનંદ અનુભવી રહ્યો છું.સાથો સાથ ગુલાબનું ફૂલ, મિઠાઇ અને સાથેની મમતા કીટ અર્પણ કરીને દીકરીના જન્મને આવકાર આપવામાં આવી રહ્યો છે. મહિલાઓને પૂરતા પ્રમાણમાં રોજગારી મળી રહે, તેઓ આત્મનિર્ભર બને તેમજ સમાજમાં મહિલાઓનું દરેક જગ્યાએ પ્રતિનિધિત્વ જળવાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આ વખતના બજેટમાં પણ ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ થકી મહિલા સશક્તિકરણની દિશામાં નક્કર આયોજન કરાયું છે.
Trending
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક
- શ્વેત સુંદરી મોનલ ગજ્જર….