Abtak Media Google News

સ્વામિનારાયણ મંદિર વડતાલ ખાતે ઉજવાઇ રહેલા કાર્તિકી સમૈયામાં વિજયભાઈ રૂપણી ઉપસ્થિત રહ્યા. ત્યારે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યુ કે, સ્‍વામિનારાયણ સંપ્રદાયે માનવતા સાથે સદાચારના નિર્માણનું ગુજરાતમાં અદભૂત કાર્ય કર્યું છે.

માનવને માનવ બનાવવો અને તેમાં માનવતાનું આરોપણ કરવું અઘરુ કાર્ય છે, જે સ્‍વામિનારાયણ સંપ્રદાયે સુપેરે પાર પાડ્યું છે. સ્‍વામિનારાયણ સંપ્રદાયે ધર્મ-સંસ્‍કૃતિ માટે વિશાળ સંતગણ ઉભો કર્યો છે જેઓ સ્‍વ માટે નહીં પરંતુ સમાજ, ધર્મ માટે અહર્નિશ સેવારત છે. ધર્મ-મંદિરની વાત કરવાથી ન અટકી જતાં વ્‍યસનમુક્તિ, યુવા વર્ગને ધાર્મિકતા તરફ વાળવાનું તથા આપત્તિ-વિપત્તિ વચ્‍ચે સત્‍સંગ, સંકલ્પો દ્વારા સતત સમાજ ઉત્‍થાનનું કાર્ય કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.