ગુજરાત રાજ્યમાં આજથી સ્વચ્છતા સેવા સપ્તાહનો પ્રારંભ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બોરીજ ગામથી સ્વચ્છતા સેવા સપ્તાહનો પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રીએ પોતે સાફ સફાઈ કરીને આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે.આ સાથે મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશની તસ્વીર બદલવી પડશે. મહત્વનું છે કે આજથી શરૂ થયેલા સ્વચ્છતા અભિયાનનું બીજી ઓકટોબરે સમાપન થશે. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ અને વિકાસ એકબીજાથી ઘણાં દૂર છે. કોંગ્રેસની માનસિકતા વિકાસની રહી નથી. માટે આવી વાતો કરે છે. અને બૂલેટ ટ્રેનના પ્રોજેકટનો વિરોધ કરે છે.ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા” નામના અભીયાનની આજે શરૂઆત કરી હતી જેના પગલે આજે ગુજરાતના મુખ્ય પ્રધાને આ અભિયાનને લીલી ઝંડી આપી હતી.
Trending
- World Liver Day 2024:લીવરની બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 20 લાખ લોકો મૃત્યુ પામે છે!
- હેલ્ધી કાચા કેળાની કટલેટ ટ્રાય કરો બાળકો વારંવાર બનાવવાનું કહેશે
- દીક્ષા જોશીએ બેસ્ટિ શ્રદ્ધા ડાંગરની હલ્દી અને મહેંદી ફંક્શનની BTS યાદો કરી શેર
- મલાઈકા તેની નવી સ્ટાઈલમાં સેક્સી લાગી
- હોરર અને કોમેડીની રોલર કોસ્ટર રાઈડ ફિલ્મ “ઝમકુડી”નું ડિજિટલ પોસ્ટર લોન્ચ
- ભૂલથી પણ તમારા ફ્રીજમાં ન રાખો આ 9 વસ્તુઓ, ઠંડકના ચક્કરમાં પડી જશે લેવાના દેવા
- ‘ઉલઝ’ફિલ્મનું ટીઝર લોન્ચ, જ્હાન્વી કપૂર એક્શન રોલમાં નજરે પડી
- મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રથમ તબક્કાના મતદાન પહેલા ઉત્સાહભેર મતદાનમાં ભાગ લેવાની કરી અપીલ