ગુજરાત રાજ્યમાં આજથી સ્વચ્છતા સેવા સપ્તાહનો પ્રારંભ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બોરીજ ગામથી સ્વચ્છતા સેવા સપ્તાહનો પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રીએ પોતે સાફ સફાઈ કરીને આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે.આ સાથે મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશની તસ્વીર બદલવી પડશે. મહત્વનું છે કે આજથી શરૂ થયેલા સ્વચ્છતા અભિયાનનું બીજી ઓકટોબરે સમાપન થશે. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ અને વિકાસ એકબીજાથી ઘણાં દૂર છે. કોંગ્રેસની માનસિકતા વિકાસની રહી નથી. માટે આવી વાતો કરે છે. અને બૂલેટ ટ્રેનના પ્રોજેકટનો વિરોધ કરે છે.ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા” નામના અભીયાનની આજે શરૂઆત કરી હતી જેના પગલે આજે ગુજરાતના મુખ્ય પ્રધાને આ અભિયાનને લીલી ઝંડી આપી હતી.
Trending
- બ્રેઈન ટીઝર ચેલેન્જ: માત્ર હાઈ આઈક્યુ ધરાવતા લોકો જ આ કોયડો ઉકેલી શકશે
- વાંકાનેરનાં દિઘલીયા ગામે પ્રેમ પ્રકરણમાં સગી દિકરીને મોતને ઘાટ ઉતારનાર પિતાની ધરપકડ
- ગોપાલ નમકીન અને જ્યોતિ સીએનસી સહિતની કંપનીઓના ‘લોક’ થયેલ શેરો આગામી 3 મહિનામાં બજારમાં ઠાલવાશે
- કોંગ્રેસને પડ્યા ઉપર પાટુ : ઇન્કમટેક્સે રૂ.1700 કરોડની ટેક્સની નોટિસ ફટકારી
- રાજકારણી કમ ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું મોત : ઉત્તરપ્રદેશમાં કલમ 144 લાગુ
- હાઉસિંગ સોસાયટીના મકાનોની ટ્રાન્સફર ફી રૂ.50 હજારની મર્યાદામાં રખાય તેવી સંભાવના
- ઉનાળામાં રાગી ખાવાના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
- મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે દાખલારૂપ કાર્યવાહી : ધડાધડ 15 મિલકતો જપ્ત