Abtak Media Google News

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ ને સતત બીજી વાર ભગવાન જગન્નાથ ની રથયાત્રા ની  પાહિન્દ વિધિ કરી ભગવાન જગન્નાથ ને નગર યાત્રા એ પ્રસ્થાન કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

Whatsapp Image 2018 07 14 At 9.12.13 Amવિજય ભાઈ અને નીતિન ભાઈ એ અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રા ને 141 માં વર્ષે ભગવાન ના રથ ની સોનાની સાવરણી થી સેવા સફાઈ કરી અમદાવાદ મહાનગર માં લાખો ભક્તો શ્રદ્ધાળુઓ ના જય રણછોડ માખણ ચોર ના જયઘોષ સાથે નગર યાત્રા એ જવા વિદાય આપી હતી.

મુખ્યમંત્રીશ્રી એ કહ્યું કે ભગવાન જગન્નાથ આજે સામે ચાલી ને ભક્તો ને દર્શન આપવા દિવસ ભર નગરયાત્રા કરીને સાંજે નિજ મન્દીર પરત આવશે.

તેમણે જગન્નાથજી ની કૃપા સમગ્ર ગુજરાત અને સમાજ જીવન પર વરસતી રહે સુખ સમૃદ્ધિ સલામતી અને પ્રગતિ થતી રહે વરસાદ પણ સર્વત્ર સારો થાય તેવી કૃપા વાંછના પણ આ વેળા એ કરી હતી

Whatsapp Image 2018 07 14 At 9.12.19 Am

અષાઢી બીજ કચ્છીઓ નું નૂતન વર્ષ છે એ અવસરે વિજય ભાઈ એ કચ્છી સમાજ ના સૌ ભાઈ બહેનો ને નવા વર્ષ ની શુભેચ્છાઓ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.