Abtak Media Google News

કર્ણાટકના રાજયપાલ વજુભાઈએ ટેલીફોનીક દિલસોજી પાઠવી રાજકીય અને સામાજીક અગ્રણીએ નિવાસ સ્થાને શ્રદ્ધાંજલી અર્પી

બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને ઈન્ડિયાના મેમ્બર જાણીતા ધારાશાસ્ત્રી દિલીપ પટેલના માતુશ્રી વસંતબેનનું દુ:ખદ અવસાન થયેલ હોય પરીવારના સભ્યોના દુ:ખમાં ભાગીદાર થવા માટે તેમના નિવાસસ્થાને દિલાસો આપવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તેમના ધર્મપત્ની અંજલીબેન પરીવારના મોભી કાનજીભાઈ પટેલ તથા પરીવારને સાંત્વના અને દિલાસો પાઠવી સ્વર્ગથને શ્રદ્ધાંજલી પાઠવી હતી. કર્ણાટકના ગર્વનર વજુભાઈ વાળાએ પણ ફોન ઉપર પટેલ પરીવારને દિલાસો પાઠવી સ્વર્ગથને શ્રદ્ધાંજલી આપેલી હતી.2 37આ સાથે સાંસદ મોહનભાઈ કુંડારીયા, ભાજપા પ્રમુખ કમલેશ મિરાણી, ભારત સરકાર લો કમિશનના મેમ્બર અભય ભારદ્વાજ, રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ગુજરાત ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપા અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, ડીસ્ટ્રીકટ જજ પી.જી.ગોકાણી, રાજુભાઈ ધ્રુવ, કોર્પોરેટરોમાં જયમીનભાઈ ઠાકર, બાબુભાઈ આહિર, રસિક બદુકીયા, રાજેન્દ્રસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ પણ સ્વર્ગથને શ્રદ્ધાંજલી આપેલ હતી.3 22પટેલ પરીવારના કાનજીભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, દિલીપ પટેલ, સંકેત પટેલ, સૌમીલ પટેલ, ભારતીબેન પટેલ, ભાનુબેન પટેલ, હિરેનભાઈ સોજીત્રા, રીપલ પટેલ, દીશા પટેલ, દિવ્યા સંકેત પટેલ સહિતના પરીવારજનો કપરા સમયને સહન કરવાની શકિત આપે આત્માને ચિર શાંતી આપે તેવી અભ્યર્થના કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.