Abtak Media Google News

રાજકોટ શહેર ભાજપાના કોષાઘ્યક્ષ અનીલભાઇ પારેખના સુપુત્ર રીતેશનું દુ:ખદ અવસાન થયેલ છે. આ દુ:ખદ સમાચાર મળતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે રાજકોટ ખાતે તેમના શકિતનગરમાં આવેલ નિવાસસ્થાને ગયા હતા. મુખ્યમંત્રીએ પરિવારના મોભી અનીલભાઇ અને પરિવારના સભ્યોને મળીને ઉંડા દુ:ખની લાગણી વ્યકત કરીને સાંત્વના પાઠવી હતી.

C.m. At Shraddhnjali To Ritesh Parekh 2મુખ્યમંત્રી સાથે મેયર ડો. જૈમનભાઇ ઉપાઘ્યાય અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા વગેરે સાથે રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.