Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં માનવીને આરોગ્ય સેવા પુરી પડવાના હેતુથી જરુરતમંદ શહેરીજનો માટે તાજેતરમાં શાળા નં.૧પ માં મુખ્યમંત્રી અમૃતમ મા વાત્સલ્ય કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં વિવિધ વિસ્તારના ૯૦ પરિવારોને સ્થળ પર જ કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતો.

આ કેમ્પનું ઉદધાટન અરવિંદભાઇ રૈયાણીના હસ્તે દિપ પ્રાગટય કરી શુભારંભ કરાવવામાં આવ્યો હતો. તેમજ કાર્યક્રમની અઘ્યક્ષતા બીનાબેન આચાર્ય હાજર રહ્યા હતા. આ કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે કમલેશભાઇ મીરાણી, અશ્ર્વિનભાઇ મોલીયા, ઉદયભાઇ કાનગડ, દલસુખભાઇ જાગાણી, અજયભાઇ પરમાર, અનિલભાઇ રાઠોડ સહીતના બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.