Abtak Media Google News

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પોતાના જન્મદિવસ પ્રસંગે પાલનપુર મુકામે શ્રી પલ્લવીયા પાર્શ્વનાથજી ભગવાનના દેરાસરમાં  જઇને ભકિતભાવપૂર્વક દર્શન, આરતી તથા પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે જૈન અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યુ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ઉપાશ્રયમાં ચાતુર્માસ ગાળી રહેલા પ.પૂજય આચાર્યદેવ રાજતિલક સાગરસુરિશ્વરજી મ.સા.ને મળી મુખ્યમંત્રીશ્રીએ આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીના જન્મ દિવસ પ્રસંગે અહિંસા સંઘ, મુંબઇ દ્વારા પૂરગ્રસ્તોને સહાય માટે રૂા. ૧૧,૧૧,૧૧૧/-ના દાનની જાહેરાત કરવામાં આવી હતી.  મુખ્યમંત્રીશ્રીના જન્મ દિવસ પ્રસંગે હીર વલ્લભ જૈન ગૃપ પાલનપુર દ્વારા પૂરગ્રસ્તો માટે ૬૧૦ ધાબળા તથા અનાજ-વાસણની ૬૧૦ કીટ ભરેલા ટ્રકને મુખ્યમંત્રીશ્રીના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.