મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પોતાના જન્મદિવસ પ્રસંગે પાલનપુર મુકામે શ્રી પલ્લવીયા પાર્શ્વનાથજી ભગવાનના દેરાસરમાં જઇને ભકિતભાવપૂર્વક દર્શન, આરતી તથા પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે જૈન અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યુ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ઉપાશ્રયમાં ચાતુર્માસ ગાળી રહેલા પ.પૂજય આચાર્યદેવ રાજતિલક સાગરસુરિશ્વરજી મ.સા.ને મળી મુખ્યમંત્રીશ્રીએ આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીના જન્મ દિવસ પ્રસંગે અહિંસા સંઘ, મુંબઇ દ્વારા પૂરગ્રસ્તોને સહાય માટે રૂા. ૧૧,૧૧,૧૧૧/-ના દાનની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીના જન્મ દિવસ પ્રસંગે હીર વલ્લભ જૈન ગૃપ પાલનપુર દ્વારા પૂરગ્રસ્તો માટે ૬૧૦ ધાબળા તથા અનાજ-વાસણની ૬૧૦ કીટ ભરેલા ટ્રકને મુખ્યમંત્રીશ્રીના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા