Abtak Media Google News

છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓએ દૂરદર્શનની ટીમ પર હુમલો કર્યો છે. આ હુમલો દંતેવાડાના આરનપુર વિસ્તારમાં કરવામાં આવ્યો. હાલ એ વાતની જાણ થઈ શકી નથી કે ટીમમાં કેટલા લોકો સામેલ હતા. આ હુમલામાં એક કેમેરામેનનું મોત થઈ ગયું છે. આ ઉપરાંત તેમની સુરક્ષામાં તહેનાત બે સુરક્ષાકર્મીઓનાં પણ શહીદ થયાં છે.

મળતી માહિતી પ્રમાણે, અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નીલાવાયાના જંગલોમાં બંને તરફથી થઈ રહેલી અથડામણમાં જવાનો ફસાઈ ગયા. એક મીડિયાકર્મી સહિત બે જવાનો શદીદ થયાં હોવાના સમાચાર છે. દંતેવાડાના એસપી ઘટનાસ્થળ માટે રવાના થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.