Abtak Media Google News

નક્સલીઓએ બીજાપુરના કુટરુ અને ફરેસગઢની વચ્ચે જવાનોથી ભરેલી બસને આઈઈડી બ્લાસ્ટથી ઉડાવી દીધી છે. આ ઘટનામાં ડીઆરજીના બે જવાન શહીદ થયા છે જ્યારે 6 ઘાયલ થયા છે. જે પૈકી 3ની હાલત નાજુક છે. આ પહેલા સોમવારે જ મહાદેવ ઘાટમાં નક્સલીઓના સીરિઅલ બ્લાસ્ટમાં એક સીઆરપીએફ જવાન ઘાયલ થયા હતા. આ દરમિયાન એક પ્રવાસી બસ માંડ-માંડ બચી ગઈ. વિસ્તારમાં અનેક યાત્રિકોના ફસાયા હોવાની આશંકા છે. ઉલ્લખેનીય છે કે 14 એપ્રિલે બીજાપુરમાં પીએમ મોદીનો પ્રસ્તાવિત પ્રવાસ છે.

છત્તીસગઢ: બ્લાસ્ટ બાદ નક્લસીઓએ કર્યું ફાયરિંગ

સોમવારે બીજાપુરના કુટરુ અને ફરેસગઢની વચ્ચે નક્સલીઓએ ડીઆરજી જવાનોથી ભરેલી બેસને આઈઈડી બ્લાસ્ટથી ઉડાવી દીધી. આ ઘટનામાં બે જવાન શહદ થયા છે અને 6 ઘાયલ છે.સૂત્રોનું કહેવું છે કે આ ઘટના બાદ નક્સલીઓએ ફાયરિંગ પણ કર્યું છે. ઘાયલ જવાનોને બીજાપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.