Abtak Media Google News

લગ્નના ૨૦ દિવસમાં જ કરિયાવરના પ્રશ્ને ત્રાસ દીધાનો નોંધાતો ગુનો: પરિણીતાના પિતા સહિત ચાર આસ્થા ક્લિનીકમાં તોડફોડના ગુનામાં આગોતરા મંજુર

રૈયા રોડ પર આવેલા આલાપ ગ્રીન સિટીમાં રહેતા અને ચંદ્રેશનગરમાં આસ્થા નામનું ક્લિનીક ધરાવતા ડો હરદેવસિંહ પરમારે ત્રીજી યુવતી સાથે લગ્ન કર્યાના ૨૦ દિવસમાં જ કરિયાવરના પ્રશ્ને ત્રાસ દીધાની અને પરિણીતાના પિતા સહિતના શખ્સોએ ક્લિનીકમાં તોડફોડ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ક્લિનીકમાં તોડફોડ કરવાના ગુનામાં મહિલા સહિત ચારના આગોતરા જામીન અદાલતે મંજુર કર્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હાથીખાનામાં રહેતી સચીબેન તલાટીયાના ગત તા.૩૦-૧૧-૧૮ના રોડ રૈયા રોડ પર આવેલા આલાપ ગ્રીન સિટીમાં રહેતા અને ચંદ્રેશનગરમાં આસ્થા ક્લિનીક ધરાવતા હરદેવસિંહ પરમાર સાથે બંનેના વડીલોની સહમતીથી આર્ય સમાજમાં લગ્ન થયા હતા.

લગ્નના ૨૦ દિવસમાં જ પતિ હરદેવસિંહ દોલતસિંહ પરમાર, સાસુ હંસાબા દોલતસિંહ પરમાર, નણંદ મનુબા પ્રવિણસિંહ પરમાર, નણંદોયા પ્રવિણસિંહ રૂપસિંહ પરમાર અને નણંદ કિરણબા નરેન્દ્રસિંહ ખેરડીયા કરિયાવરના પ્રશ્ને શારીરિક અને માનસિક ત્રાસ દીધા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

જ્યારે સચીબાનના પિતા રમેશભાઇ તલાટીયા, અભીરાજ તલાટીયા, ઉમેદસિંહ રાઠોડ અને હંસાબા તલાટીયાએ આસ્થા ક્લિનીકમાં તોડફોડ કરી ખૂનની ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

આસ્થા ક્લિનીકમાં તોડફોડ અને ખૂનની ધમકીના ગુનામાં રમેશ તલાટી સહિત ચારના આગોતરા જામીન મંજુર થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.