Abtak Media Google News

રાજકોટ: કરવા ચોથનું વ્રત ખાસ કરીને પરણીત સ્ત્રીઓ કરે છે આ દિવસે સવારે વહેલા ઉઠી અને નિત્યક્રમ કરી ભગવાન ગણપતિ, ગૌરી, અને ચંદ્રની પૂજા કરે છે તથા આખો દિવસ ઉપવાસ કરી તથા રાત્રીનાં સમયે ચંદ્ર ઉદય થાય એટલે ચારણીમાં દિવો રાખી ચંદ્ર દર્શન કરે છે.Untitled 1 52 પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. કથા શ્રવણ કરે છે. પતિના ચરણ સ્પર્શ કરી પતિ વ્રતના પારણા કરાવે છે. અને પાણી પીવડાવે છે. પરણીત સ્ત્રીઓની સાથે સાથે લગ્ન ઈચ્છુક યુવતીઓ પણ સારા પતિની કામના માટે કરવા ચોથનું વ્રત ખૂબજ ઉત્સાહથીક કરે છે. રાજકોટમાં પણ મહિલાઓએ કરવા ચોથના વ્રતની ખૂબજ ઉત્સાહથી ભાવથી ઉજવણી કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.