Abtak Media Google News

લુપ્ત થતી ચકલીઓને બચાવવાનો સંદેશો લોકો સુધી પહોચાડવા ક‚ણા ફાઉન્ડેશનનો અનોખો પ્રયોગ

નવરાત્રી મહોત્સવમાં માં આદ્યશકિતની આરાધના માટીના ગરબા સ્વરૂપે થતી હોય છે અને એક શ્રધ્ધા કેન્દ્ર તરીકે આ માટીના ગરબાનું અનેરૂ મહત્વ છે. દરેક માતાજીનું વાહન પણ પશુ-પક્ષીઓ હોય છે. આ માતાજીના અતિ પવિત્ર ગરબા કે જેનો સદુપયોગ નવરાત્રી પછી પણ થાય તો માતાજીના આશીર્વાદ સૌને મળી શકે. એટલા માટે જ આ માતાજીના

ગરબામાંથી ચકલીનો માળો બનાવી ખુદ ચકલી માતાજી(ઉડતાં ભગવાન)ને આપણા ઘરમાં જ તેમનું ઘર આપીએ તો ખૂબ સારુ પર્યાવરણ અને જીવદયાનું કાર્ય થઈ શકે.

નવરાત્રીની નવ દિવસની આરાધાના જેના પ્રકાશમા કરીએ છીએ તે ગરબાને દસમે દિવસે મંદીરમા મુકવા જવાની પૌરાણીક શ્રદ્ધા છે તેવા સમયે ગરબાની ગરીમા અને પવિત્રતા સાથે ચકલીના માળા માટે મૂકવામા આવે તો ચકલી પણ સુરક્ષીત ઘર મેળવી શકે. ઘર એક મંદિર છે તો ગરબો મંદિરે મૂકવાને બદલે ચકલીનું ઘર બનાવીએ.

ગરબાની બાંધણી પક્ષીના માળા માટે ઉપયોગી છે. જુના જમાનાના મકાન હવે નહિ રહેતા ચકલીને માળો બનાવવો મુશ્કેલ છે, તેવા સમયે ગરબાને છતમા ટિંગાડવામાં આવે તો તેનો ઉપયોગ ચકલી ઉછેર માટે આશીર્વાદરૂપ બનશે અને ગરબાની ગરીમા પણ જળવાઈ રહેશે. ચકલી પોતાનો માળો જાતે બનાવી શકતી નથી અને દિન-પ્રતિદિન વધતા જતા પ્રદુષણયુકત વાતાવરણમાં આમતેમ વલખા મારી પોતાનો જીવ ગુમાવી બેસતી હોઈ છે, ત્યારે આવા અબોલ જીવની સુરક્ષા અને તેઓને સારો આવાસ આપવાના હેતુ ગરબાનો સદુપયોગ તે ખૂબ મોટુ સત્કાર્ય થશે.

સમગ્ર વિશ્વ પણ “ચકલી દિન” ઉજવીને લુપ્ત થતી ચકલીઓનો બચાવવા ઝુંબેશ ચલાવી રહેલ છે તેવા સમયે ગરબાને ચકલીના માળા માટે ઉપયોગમાં લઈ ગરબાની પવિત્રતા સાથે પ્રકૃતિના જતનની હિમાયત એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી, ઘનશ્યામભાઈ ઠકકર, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધિરેન્દ્ર કાનાબાર, રજનીભાઈ પટેલ, એડવોકેટ કમલેશભાઈ શાહ, વિષ્ણુભાઈ ભરાડ સહિતની ટીમે કરી છે. આ અંગે કોઈ માહિતી જોઈએ તો મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો. ૯૯૯૮૦ ૩૦૩૯૩) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.