Abtak Media Google News

મહારાષ્ટ્ર મંડળ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી ઉજવાય છે શિવાજીની જન્મજયંતી

રાજકોટમાં મહારાષ્ટ્ર મંડળ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત ગઈકાલના રોજ મહારાષ્ટ્ર મંડળ દ્વારા શહેરનાં રાજમાર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને રેસકોર્ષ ખાતે આવેલ છત્રપતિ શિવાજીમહારાજની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. આ તકે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Vlcsnap 2020 02 20 11H49M08S33

અબતક સાથેની વાતચીત દરમિયાન મહારાષ્ટ્ર મંડળના ઉપાધ્યક્ષ અનિલભાઈ પાટીલએ જણાવ્યુંહ તુ કે અમે છત્રપતિ શિવાજી મહારાજ શિવ જયંતિની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરીએ છીએ ફકત મહારાષ્ટ્ર નહી પરંતુ ભારતભરમાં શિવાજી મહારાજની જન્મજયંતિનું ખૂબજ મહત્વ છે. કારણકે હિન્દુ સ્વરાજ માટે છત્રપતિ શિવાજી મહારાજે ભોગ આપેલ છે.

ત્યારે આજરોજ અમારા મહારાષ્ટ્ર મંડળ દ્વારા શિવાજી મહારાજની જન્મજયંતિની ઉત્સહભેર શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવી છે.

શહેરનાં ત્રીકોણબાગ, યાજ્ઞીક રોડ સહિત અનેક માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી. અને ત્યારબાદ રેસકોર્ષ ખાતે આવેલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. આ તકે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.