Abtak Media Google News

દરેકને પર્વોત્સવ દિવાળીની પોતપોતાની રીતે ઉજવણી કરવાની હોંશ હોય છે. એક તરફ શ્રીમંતો દિવાળી ખૂબ ધામધૂમથી ઉજવતા હોય છે. તો બીજી બાજુ મધ્યમ વર્ગનાં લોકો પોતાના બજેટ પ્રમાણે દિવાળીની ઉજવણી કરે છે. ઉલ્લાસ અને આનંદના પર્વને યાદગાર બનાવવા બધાંને પોતપાતાના ઘરની પોતીકી રીતે સજાવટ કરવાની હોંશ હોય છે. ફટાકડાં, જાતજાતની અને ભાતભાતની વાનગી બનાવવાની તૈયારીમાં ગૃહિણીઓ લાગી જાય છે. ઘણાંને એકાદ બે વર્ષે આખા ઘરનું નવેસરથી પેઈન્ટિંગ કરાવવાનો શોખ હોય છે.

Diwali Home Celebrationsનવરાત્રિનું સમાપન થયા પછી આખા ઘરનું પેઈન્ટિંગ કરાવતા હોય છે. એમ કરાવવા પાછળ કદાચ આખા ઘરની સાફસફાઈ થવા ઉપરાંત ઘર ચકાચક લાગે તેવી તેમની નેમ હોઈ શકે. દર બે-ચાર વર્ષે નવેસરથી પેઈન્ટિંગ કરાવવાનું મધ્યમવર્ગના લોકોને પરવડતું નથી હોતું. પણ તેઓ મનગમતા વૉલપેપરથી સજાવટ કરી જ શકે.

આ વર્ષે દિવાળીની સજાવટમાં વૉલપેપર્સની ધૂમ મચી છે. લોકો પોત પોતાની રાશિ પ્રમાણે ઘર સજાવટમાં વૉલપેપરનો ઉપયોગ કરે છે. વૉલપેપરની સજાવટ સુંદર અને ઍલિગન્ટ લાગે છે.

2 116જુદા જુદા વૉલપેપર્સમાં બાર ઝોડિયાક સાઈન્સવાળાં પેપરની સજાવટની બોલબાલા જણાય છે. વૉલ પેપરમાં દેવી દેવતાનાં મનોરમ્ય ચિત્રો જેમ કે રિદ્ધિસિદ્ધિનાં દેવ ગણેશજી, લક્ષ્મીજી વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોબાઈલના સુશોભન માટે મોબાઈલ વૉલપેપર, સ્ટિકર્સ, કુદરતનું મહાત્મ્ય સમજાવતાં વૉલપેપર્સ,પ્લેનેટ્સ વૉલપેપરથી બાળકોનાં રૂમની અનેરી સજાવટ કરી શકો. લિવિંગ રૂમમાં દેવી દેવતાના ચિત્રોવાળાં વૉલ પેપર માર્કેટમાં મળે છે. વૉલપેપરના ઉપયોગથી ઘરની સજાવટ નિખરી ઊઠે છે.

પર્વોત્સવે આવનાર મહેમાન પણ સજાવટ નિહાળીને દંગ થઈ જશે. ઘરની બહાર ટાંગેલી નેમપ્લેટની આસપાસ ઊનનાં ફૂમતાં લગાવીને સુશોભન કરો. કુદરતી દૃશ્યોનાં દિલ ખુશ ચિત્રો ફ્રેમમાં મઢાવીને દિવાલની સજાવટ કરી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.