Abtak Media Google News

CBSEએ ધો. 10ની બાકીની પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે થયેલી સુનાવણીમાં આ જાણકારી આપી હતી. હવે વિદ્યાર્થીઓનું મુલ્યાંકન છેલ્લી 3 પરીક્ષાના આધારે થશે. ત્યાર પછી વિદ્યાર્થી પાસે પરીક્ષા આપવાનો વિકલ્પ રહેશે.

કુલ 29 વિષયોની પરીક્ષા બાકી છે. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ધો. 10ના વિદ્યાર્થીઓની 6 વિષયની પરીક્ષા બાકી છે. આ પરીક્ષા દિલ્હીમાં થયેલી હિંસાના કારણે રદ્દ કરાઈ હતી. દેશભરમાં ધો.12ની 12 વિષયની પરીક્ષા બાકી છે. ઉત્તર પૂર્વ દિલ્હીમાં આ 12 ઉપરાંત 11 બીજા મુખ્ય વિષયોની પરીક્ષા બાકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.