Abtak Media Google News

સરદાર સાહેબ કા યહ અપમાન, નહીં સહેગા હિન્દુસ્તાન

જ્ઞાતિવાદ, કોમવાદ ફેલાવવાની કોંગ્રેસની વેરઝેરની ભાષા છે,નર્મદા, ગુજરાત અને ગુજરાતના નેતૃત્વ વિરોધીની કોંગ્રેસની ભાષા છે.  – ભરત પંડ્યા

એક એક ગુજરાતીનાં હ્યદયમાં શ્રી સરદાર પટેલ વિષે કોંગ્રેસના નેતાએ કરેલ આવા નિમ્નકક્ષાના વિચારો સાંભળીને આઘાત લાગ્યો છે. ભરત પંડ્યા

સર્જીકલ સ્ટ્રાઈક સમયએ કોંગ્રેસની ભાષાએ પાકિસ્તાનની ભાષા હતી. હવે, કાશ્મીરના મુદ્દે કોંગ્રેસ લશ્કર-એ-તોયબાની ભાષા બોલે છે.કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈફુદીન સોઝે શ્રી સરદાર પટેલ સાહેબની અખંડિતતા અને દેશભક્તિ ઉપર સવાલો ઊભો કરીને હદ કરી નાંખી છે.

સરદાર પટેલનું ઘોર અપમાન થયું હોવા છતાં પણ કોંગ્રેસ કેમ ચુપ બેઠી છે તે સમજાતું નથી ?

સર્જીકલ સ્ટ્રાઈક સમયએ કોંગ્રેસની ભાષાએ પાકિસ્તાનની ભાષા હતી.હવે, કાશ્મીરના મુદ્દે કોંગ્રેસ લશ્કર-એ-તોયબાની ભાષા બોલે છે. નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સરદાર સાહેબને માન-સન્માન અને ગૌરવ આપ્યું છે અને નર્મદા ખાતે વિશાળ 182 મીટરની વિશ્વની સૌથી મોટી પ્રતિમા ” statue of unity” તૈયાર થઈ રહી છે.

સાર્વભૌમ રાષ્ટ્રનું નિર્માણ કરનાર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પર કોંગ્રેસ નેતા સૈકુદીન સોઝે કરેલ અશોભનીય નિવેદન પર વડોદરા જીલ્લા ભાજપ દ્વારા ડભોઈ ખાતે ધરણાં, દેખાવો અને પુતળા દહન દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડ્યાએ મિડીયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, જ્ઞાતિવાદ, કોમવાદ ફેલાવવાની કોંગ્રેસની વેરઝેરની ભાષા છે, નર્મદા યોજનામાં સતત રોડા નાંખીને નર્મદાને રોકવાની કોંગ્રેસની ભાષા નર્મદા વિરોધી છે. કોંગ્રેસની ભાષા ગુજરાત અને ગુજરાતના નેતૃત્વ વિરોધી છે. સર્જીકલ સ્ટ્રાઈક સમયએ કોંગ્રેસની ભાષાએ પાકિસ્તાનની ભાષા હતી. હવે, કાશ્મીરના મુદ્દે કોંગ્રેસ લશ્કર-એ-તોયબાની ભાષા બોલે છે.

ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી સૈફુદીન સોઝે શ્રી સરદાર પટેલ સાહેબની અખંડિતતા અને દેશભક્તિ ઉપર સવાલો ઊભો કરીને હદ કરી નાંખી છે. આ સૈફુદીન સોઝે કાશ્મીર મુદ્દે હજુ પણ શ્રી જવાહરલાલ નહેરૂને  છાવરવાનું કામ કર્યું છે અને દોષનો ટોપલો શ્રી સરદાર સાહેબ ઉપર ઢોળવાનો બાલિસ પ્રયાસ કર્યો છે.

ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, નર્મદા ડેમના દરવાજા મુકવાની કોંગ્રેસની યુ.પી.એ. સરકારે 10 વર્ષ સુધી મંજૂરી ન હતી આપી તે મંજૂરી શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યાં પછી માત્ર 17 દિવસમાં જ મંજૂરી આપી દિધી હતી. નર્મદા ડેમના દરવાજાના લોકાર્પણનું કાર્ય ડભોઈ ખાતે પૂર્ણ થયું હતું. ત્યારે નર્મદા વિરોધી સૈફુદિન સોઝે કોર્ટમાં એફિડેવીટ કરીને નર્મદા યોજનાને અટકાવવા માટેનું કામ કર્યું હતું. દેશના 565 રજવાડાંઓને એક કરીને દેશની અખંડિતતાનું ઐતિહાસિક  કાર્ય કરેલ છે તેવા સરદાર સાહેબનું નામ આજે સૈફુદીન સોઝે કાશ્મીર સાથે જોડીને હદની હદ કરી નાંખી છે.

ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, એક એક ગુજરાતીનાં હ્યદયમાં શ્રી સરદાર પટેલ વિષે કોંગ્રેસના નેતાએ કરેલ આવા નિમ્નકક્ષાના વિચારો સાંભળીને આઘાત લાગ્યો છે. સૈફુદીન સોઝે કરેલ નિવેદન સામે કોંગ્રેસના નેતાઓ જનતાની માફી માંગવી જોઈએ. કોંગ્રેસના નેતા દ્વારા સરદાર પટેલનું ઘોર અપમાન થયું હોવા છતાં પણ કોંગ્રેસ કેમ ચુપ બેઠી છે તે સમજાતું નથી ?  તેમજ ગાંધી પરિવારને છાવરવામાં અને હોદ્દાની બીકમાં સરદાર પટેલ સાહેબના અપમાનની સામે ગુજરાત કોંગ્રેસ એક પણ શબ્દ બોલવા તૈયાર નથી.

  • કોંગ્રેસે શ્રી સરદાર પટેલના મૃત્યુ બાદ પણ મલાજો જાળવ્યો ન હતો.
  • સરદાર સાહેબને 41 વર્ષ સુધી ભારત રત્ન ન આપીને અન્યાય કર્યો હતો.
  • કોંગ્રેસે સરદાર સાહેબના મૃત્યુ બાદ પણ તેમના તૈલચિત્રને સંસદ ભવનમાં મુકવા માટે તૈયાર ન હતી.

જયારે નરેન્દ્રભાઈ મોદીએ  હંમેશા સરદાર સાહેબને માન-સન્માન અને ગૌરવ આપ્યું છે. નર્મદા ખાતે વિશાળ 182 મીટરની વિશ્વની સૌથી મોટી પ્રતિમા ” statue of unity”તૈયાર થઈ રહી છે. અને બીજી બાજુ કોંગ્રેસે સરદાર પટેલની સામે સતત અપમાનો અને નિવેદનો કરવાનો સિલસિલો ચાલુ રાખ્યો છે. જેનો ગુજરાત અને દેશની જનતા આગામી ચુંટણીમાં તેનો જડબાતોડ જવાબ આપશે.તેમ શ્રી પંડયાએ અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.