Abtak Media Google News

ધ્રાંગધ્રા- અમદાવાદ હાઈવે પર દુદાપુર ગામના પાટિયા પાસે કાર અને ટ્રકનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિના મોત નિપજ્યા હતા.

જ્યારે ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી. જેને પગલે ઘાયલોને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

ધ્રાગધ્રા હાઇવે પર આવેલા રામદેવપુર ગામ પાસે ઇનોવા કાર તથા ટ્રેલર વચ્ચે અકસ્માત સજાઁયો હતો. જેમા આજે સવારે કચ્છ તરફથી અમદાવાદ તરફ જતી ઇનોવા કાર નંબર જીજે12બીએફ2433વાળીના સામે અચાનક ટ્રેલર આવી જતા બંન્ને વચ્ચે ધડાકાભેર અકસ્માત સજાઁયો હતો આ અકસ્માતના પગલે આજુ-બાજુ હાઇવે પરની હોટલોના સંચાલકો તથા રાહદારોઓ તુરંત ઘટના સ્થળે પહોચી ગયા હતા. કાર તથા ટ્રેલર વચ્ચે અકસ્માતમા ઇનોવા કારમા સવાર 2 વ્યક્તિ લક્ષમણભાઇ ઉમર 35 તથા મનોજ અગ્રવાલ ઉમર 42વષીઁય રહે:- બંન્ને કચ્છ-ભુજનાઓનુ ઘટનાસ્થળે જ કમકમાટી ભયુઁ મોત નિપજ્યુ હતુ જ્યારે અન્ય એક રામકિષ્ના ઉમર 47વાળાને ગંભીર ઇજાઁ પામી હતી.

અકસ્માતના પગલે સ્થાનિક પોલીસના પીઆઇ વાસુનીયા, સાગરભાઇ રબારી , લલીતભાઇ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી ટ્રાફીક હળવો કરવા માટે કાયઁવાહી શરુ કરી હતી આ તરફ 108 એમ્બ્યુલન્સના ચાલક જયપાલસિંહ તથા સુરેશભાઇ દ્વારા તુરંત ઇજાઁગ્રસ્તને સરકારી હોસ્પીટલ પ્રાથમિક સારવાર માટે લઇ આવી વધુ પડતી ઇજાઁ હોવાના લીધે ત્યાથી સુરેન્દ્રનગર ખાતે રીફર કરાયા હતા. અકસ્માતમા મૃત્યુ પામેલ બંન્નેના પીએમ ધ્રાગધ્રા ખાતે કરવા તજવીજ હાથ ધરી સ્થાનિક પોલીસે તપાસ શરુ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.