Abtak Media Google News

મંગળવારે હેડિંગ્લે મેદાન પર ભારતની હાર બાદ કંઈક એવું થયું કે સનસની મચી ગઈ. મેચ પૂરી થયા બાદ ડ્રેસિંગ રૂમમાં પરત ફરતી વખતે મહેંદ્રસિંહ ધોનીએ અંપાયર પાસેથી વન-ડે મેચનો બોલ લીધો. પછી શું ધોનીના પ્રશંસકોને લાગ્યું કે નિરાશ થયેલો ધોની કોઈ મોટું પગલું ભરશે.

ધોનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચર્ચા છે કે ધોની વન-ડે ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે. તો ઘણા ફેન્સે એ સમજાવવાની કોશિશ કરી કે ધોનીએ અંપાયર પાસેથી બોલ કેમ લીધો. ખરાબ સ્થિતિમાં પણ ટીમ ઈંડિયાને જીત અપવનાર ધોની ઈંગ્લેન્ડ સામેની નિર્ણાયક વન-ડેમાં કોઈ જાદુ ન ચલાવી શક્યો. ધોનીએ ૬૬ બોલમાં ૪૨ જ રન બનાવ્યા. એટલે ટીમ ઈંડિયા કોઈ મોટો ટાર્ગેટ ન આપી શકી. છેલ્લે શાર્દુલ ઠાકુરે બે છગ્ગા મારીને ૧૩ બોલમાં ૨૨ રન બનાવ્યા, જેથી ટીમ ઈંડિયાનો સ્કોર ૨૫૦ને પાર પહોંચી શક્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.