Abtak Media Google News

દલીત નેતા જીગ્નેશ મેવાણીને અરુંધતી રોયે રૂ.૩ લાખનું ચૂંટણી ભંડોળ આપ્યું

વિધાનસભા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ચૂંટણી લડવા માટે રાજકીય પક્ષો ફંડ એકત્ર કરવા અભિયાનો ચલાવી ર્હયાં છે. ઘણી જગ્યાએ રાજકીય પક્ષોને ચૂંટણી ફંડ માટે હાથ લાંબા કરવા પડતા હોય છે. જયારે કેટલીક જગ્યાએ ઉમેદવારોને ચૂંટણી ફંડ મળતું હોવાનું નોંધાયું છે !

તાજેતરમાં દલિત આગેવાન જીગ્નેશ મેવાણીને જાણીતા લેખક અને એકટીવિસ્ટ અરુંધતી રોય તરફથી રૂ.૩ લાખનું ડોનેશન મળ્યું હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત સ્ત્રીઓના હકક માટે લખતા લેખક નિવેદીતા મેનને પણ રૂ.૫૦ હજારનું ભંડોળ જીગ્નેશ મેવાણીને આપ્યું હોવાનું જાણવા મળે છે. ચૂંટણી અભિયાન માટે જીગ્નેશ મેવાણીને રૂ.૯ લાખનું ફંડ મળ્યું છે. એકંદરે લોકો હવે સામે ચાલીને ચૂંટણી ભંડોળ આપતા હોવાનું ફલીત થઈ રહ્યું છે.

દલીત આગેવાન જીગ્નેશ મેવાણી બનાસકાંઠાની વડગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યો છે. આ બેઠક એસ.સી.ઉમેદવાર માટે અનામત છે. મેવાણીને કોંગ્રેસ ટેકો આપી રહી છે. ચૂંટણી માટે જીગ્નેશ મેવાણીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી અભિયાન શ‚ કર્યું છે. તેણે રોય જેવા જાણીતા લેખકો તરફથી ફંડ મળ્યું છે !

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.