Abtak Media Google News

સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય, ગ્રામજનો, અગ્રણીઓ બજાર બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે

અતિવૃષ્ટિ બાદ વડીયા શહેરના કૃષ્ણપરા વિસ્તારમાં ઉજ્જડ જેવો માહોલ જણાઈ રહ્યો છે.. ત્યારે વડીયાના સરપંચ છગનભાઇ ઢોલરીયા અને દિવ્યધામ સ્વામિનારાયણ મંદિર તરફ થી વડીયાના કૃષ્ણપરા વિસ્તારને પાછો ધમધમતો કરવા માટે સતત મહેનત શરૂ કરી છે વડીયાના દિવ્યધામ સ્વામિનારાયણ મંદિર થી બસસ્ટેન્ડ સુધી નવા રોડનું આયોજન શરૂ કર્યું છે અને એ રોડ ઉપર શાકમાર્કેટ અને દર મંગળવારે ગુજરી બજાર ભરવાની વિચારધારા રજૂ કરી છે જેથી કરીને બહાર ગામના લોકો ખરીદી કરવા આવશે બસ સ્ટેન્ડથી આ રસ્તે પસાર થશે…ત્યારે વડીયા ના કૃષ્ણપરા વિસ્તાર અને સુરગપરા વિસ્તારની મુખ્ય બજારોના વેપારીભાઈઓને વેપાર ધંધામાં લાભો મળશે અને આ આયોજનથી વડીયા શહેરના વેપારિભાઈઓમાં ખુશી જોવા મળી તેમજ સમસ્ત ગ્રામજનો અને દિવ્યધામ સ્વામિનારાયણ મંદિર તરફથી વડીયા શહેરના નકશામાં લોકહીત માટે એક નવા રસ્તાનું આયોજન કરાયું છે આ રસ્તાને વેપાર ધંધાની બજાર બનાવવા માટે સરપંચ છગનભાઇ ઢોલરિયા,સ્વામિનારાયણ દિવ્યધામ મંદિર વડીયા,તાલુકા પંચાયત સદસ્ય તુષારભાઈ ગણાત્રા તેમજ ગ્રામજનો અને અગ્રણીઓ જહેમત ઉઠાવી રહયા છે

Business-Business-Becoming-A-New-Road-From-Divya-Sadham-Swaminarayan-Temple-To-Bus-Stand-Of-Vadia
business-business-becoming-a-new-road-from-divya-sadham-swaminarayan-temple-to-bus-stand-of-vadia

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.