Abtak Media Google News

આવકવેરા અને કોર્પોરેટ ટેક્ષમાં આપેલ રાહતથી નાગરિકોની ખર્ચશક્તિ વધશે

સામાન્ય બજેટ ૨૦૨૦-૨૧ દ્વારા સરકારે ફરી પોતાની  પ્રતિબધ્ધતાના દર્શન કરાવતા સમાજના તમામવર્ગક્ષેત્રને આવરી લીધા છે. આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને નાણાંમંત્રી નિર્મલાજીનો આભાર માનું છું તથા દેશના નાગરીકોને અભિનંદન પાઠવું છું તેમ કેન્દ્રીય શીપીંગ (સ્વતંત્ર પ્રભાર), કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ એક અખબારી નિવેદનમાં જણાવેલ છે.

ભારત દેશ પહેલેથી જ ટ્રેડ ડેફિસિટને સમસ્યાનો સામનો કરતુ રહ્યું છે. નીચું ઘરેલું ઉત્પાદન અને વધું આયાતથી હંમેશા ટ્રેડડેફિસિટ રહી છે. મોદી સરકારે કરેલ આયોજનપૂર્વકના પ્રયત્નોથી એફડીઆઈ વધીરહી છે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં રેન્ક સુધારી રહ્યો છે, મેઇક ઇન ઇન્ડિયા હેઠળ ઘરેલું  ઉત્પાદન વધી રહ્યું છે, ત્યારે આ બજેટમાં કરેલી વિવિધ જોગવાઈઓથી ઘરેલું ઉત્પાદન અને નિકાસ વધશે અને થોડા વર્ષોમાં ભારતની ટ્રેડડેફિસિટનો અંત આવશે.

માંડવિયાએ આગળ જણાવેલ છે કે મોદી સરકારે વર્ષ૨૦૧૪થી જ કલીન ઇકોનોમીનાં મંત્ર સાથે અર્થતંત્રનો મજબૂત પાયો નાંખવા પગલાં લીધેલ છે. જેનાં પરિણામે આજે એનપીએ ઘટી છે, લોન રીકવરી વધી છે, આર્થિક અપરાધીઓ સામે કડક પગલા ંલેવાયા છે તથા લોનની પ્રક્રિયા સરળ અને પારદર્શક બની છે. આર્થિક મોરચે સુધારાઓ આગળ ધપાવતા વ્યક્તિગત આવકવેરા દરમાં મહત્વનો ઘટાડો કર્યો છે તથા કોર્પોરેટ ટેક્ષ ૧૫% કરેલ છે જેથી લોકો પાસે વધુ નાણાં રહેશે અને ખર્ચશક્તિ વધશે જે માઈક્રો ઈકોનોમીને સુધારશે.

7537D2F3 1

આ ઉપરાંત ૨૧મી સદીને અનુરૂપ માળખાગત સુવિધાઓ ઉભી થાય અને આધુનિક ભારતનું નિર્માણ શક્ય બને તે માટ ેનેશનલ હાઇવે, ગ્રામીણ સડકો, ઓપ્ટીકલ ફાઈબર ગ્રીડ, શહેરી વિકાસ, સ્વચ્છ ભારત, નળ સે જળ યોજના, શિક્ષા, આરોગ્ય ક્ષેત્રે કરવામાંઆવેલી માતબર ફાળવણીથીલોકોનાંજીવનની ગુણવત્તા સુધરશે તથાધંધા-રોજગાર કરવામા ંપણ સરળતા આવશે.

ખેડૂતો, મહિલાઓ, યુવાનો, પછાત વર્ગો, વિગેરેની પુરતી ચિંતાકરતાઆ બજેટથી દેશના તમામ નાગરીકો માટે વિકાસનીતક ઉભી કરવા સરકારેઆયોજનબદ્ધ પ્રયત્ન કરેલ છે.

ગુજરાતનાહજારોવર્ષોનાસમુદ્રી ઈતિહાસ અનેભવ્ય વારસાને જાળવવાતથા દુનિયા સામેરજૂકરવાએક વર્લ્ડ ક્લાસમેરીટાઈમહેરીટેજ મ્યુઝીયમ ગુજરાતનાલોથલ ખાતે બનેતેમાટેપ્રધાનામંત્રી નરેન્દ્રભાઈ મોદીતેમના મુખ્યમંત્રી કાળથીસક્રિય રીતે પ્રયાસોકરતાઆવ્યા છે. એક-એક ગુજરાતીની પણ આ આકાંક્ષા રહી છે.

મેરીટાઈમહેરીટેજ મ્યુઝીયમ-લોથલ માટેમારાહસ્તકના શીપીંગ મંત્રાલયદ્વારાકરવામાં આવેલ દરખાસ્તનેમંજૂર રાખતા બજેટમાંઆ અંગે જાહેરાત થયેલ છે, જેની મને ખુશી છે. આવનારા દિવસોમાં લોથલ આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝીયમ બને તે માટે કાર્ય આરંભ કરીશુંતેમ અંતમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.