Abtak Media Google News

કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અરનિયા વિસ્તારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ(બીએસએફ)એ એક ઘૂસણખોરને ઠાર માર્યો છે. આ ઘૂસણખોર ઇન્ટરનેશનલ બોર્ડરથી દેશમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બીજી તરફ, બીએસએફે બુધવાર રાત્રે પાકિસ્તાનની બે ચોકીઓ ઉડાવી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બીએસએફે પાકિસ્તાનના 10 રેન્જર્સને માર્યા ગયા છે. બુધવારે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા સીઝફાયર વાયોલેશનમાં એક જવાન શહીદ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.