Abtak Media Google News

મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીની જાહેરાત

ગત વર્ષની માફક આ વર્ષે પણ આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે રાજકોટ રાજપથ લી દ્વારા સંચાલીત સીટી બસ સેવા અને બી.આર.ટી.એસ. બસ સેવામાં તમામ મહિલા મુસાફરોને વિનામુલ્ય (ફ્રી) મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ફ્રી સેવાનો લાભ લેવા મહિલાઓને  મેયર બીનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા હાર્દિક અનુરોધ કરવામાં આવેલ છે.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણા વિશ્વમાં મહિલા સમુદાયના સહઅસ્તિત્વની યાદ અપાવે  છે અને સમાજમાં મહિલા વર્ગના અમાપ યોગદાન પ્રત્યે આભાર અને ઋણ સ્વીકાર કરે છે, ત્યારે આપણે સૌ એ હકીકતનો આદર કરીએ કે, સમગ્ર વિશ્વમાં અડધો-અડધ વસ્તી મહિલાઓની છે ત્યારે  સમાજમાં તેઓના યોગદાન પ્રત્યે સજાગ રહીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.