Abtak Media Google News

ઉનાના નવાબંદર ગામ તેમજ ઉના શહેરમાં ગુજરાત ખારવા સમાજના નેજા હેઠળ વિઘાર્થીઓનો સરસ્વતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે અતિથિ વિશેષ ડો. જુંગી સાહેબ, ભીમજીબાપા, વિજયભાઇ, હિતેષભાઇ સોલંકી, દિવના પટેલ, શાંતિભાઇ પ્રદીપભાઇ દુધમલ, નવાબંદરના પટેલ નરેશભાઇ મુળ દ્વારકાના પટેલ બાબુભાઇ સવાઇ, ધામરેજ ના હરિશભાઇ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ ઉનાના પટેલ પરસોતમભાઇ કાપડીઆ ઉપ પટેલ પ્રકાશભાઇ સોલંકી, રાકેશ કાપડીયા, બાબુભાઇ ચુંદડીયા, કીરીટભાઇ કાર્યક્રમનું સંચાલન સફળતાપૂર્વક કર્યુ હતુઁ. અને દિવના બાબુલાલ અરવિંદભાઇ સંસ્થાના ચેરમેન શાંતિભાઇ પ્રમુખ પ્રદીપભાઇ દુધમલએ વિઘાર્થીઓ તેમજ વાલીઓને માર્ગદર્શન પુરુ પાડયું હતું. અને વિજયભાઇ સોલંકી, ભીમજી બાપા, પ્રવીણભાઇ કાનજી સાહેબ  જીતુ કાપડીયા, રાકેશ કાપડીયા, બીપીન ઢાયાએ સંસ્થાને અનુદાન પુરુ પાડયું હતું.

આ સંસ્થા જરુરીયાત મંદ વિઘાર્થીઓને આર્થિક રીતે મમદરુપ પણ થાય છે એટલે આ સંસ્થા અને ઉ૫સ્થિત મહેમાનો ને ઉના ઉપ પટેલ પ્રકાશભાઇ સોલંકીએ આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.