Abtak Media Google News

૧૭મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌની યોજના અંતર્ગત કૃષ્ણ સાગર તળાવમાં નર્મદાનીરના વધામણા કરશે: ૧.૧૩ લાખ લોકોને પીવાનું પાણી મળશે

બોટાદ શહેરીજનોનું વર્ષો જુનું સ્વપ્ન હવે સાકાર વા જઈ રહ્યું છે. બોટાદ શહેરની પશ્વિમે અંદાજીત ૧૩૦ હેક્ટર વિસ્તારમાં આવેલું અને ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમાર સિંહજીએ બંધાવેલું બોટાદ શહેરની અંદાજીત ૧.૧૩ લાખની વસતીના પીવાના પાણીના ોત એવું કૃષ્ણ સાગર તળાવ નર્મદાના નીરી છલકાશે.

ભાવનગરના પ્રજાવત્સલ રાજા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ બોટાદ વિસ્તારમાં અપૂરતા વરસાદ અને વારંવારના દુષ્કાળી ઉભી તી પીવાના પાણીની વિકટ સમસ્યાને નિવારવા બોટાદ શહેરના ઉપરવાસમાં ઈ.સ. ૧૯૩૮ માં મોટું તળાવ બનાવડાવ્યું. જે તળાવ એ આજનું કૃષ્ણસાગર તળાવ. આ તળાવી બોટાદ માટે ઈ.સ. ૧૯૮૫ સુધી પીવાનું પાણી મેળવવામાં આવતું હતુ. ત્યારબાદ સુખભાદર યોજનાના નિર્માણ બાદ ૧૯૮૫ ી બોટાદ શહેર માટે સુખભાદર સિંચાઈ યોજનામાંી મહત્તમ પાણીના જથ્ાની સાો સા કૃષ્ણ સાગર તળાવના પાણીનો પણ પીવાના પાણી પુરવઠા તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. હાલમાં મહી  પરીએજ યોજના એ બોટાદ શહેર માટે પાણી પુરવઠાનો મુખ્ય ોત છે.

કૃષ્ણ સાગર તળાવના નિર્માણના એક વર્ષ બાદ એટલે કે, ઈ.સ. ૧૯૩૯ માં ઉપરવાસના અનરાધાર વરસાદના કારણે કૃષ્ણ સાગર તળાવ ભરાઈ ગયું, પરંતુ પાણીનો સતત વેગ વધતાં તળાવની પાળની માટીમાં સાંજના સમયે ગાબડું પડયું અને રાત્રિના ૮ વાગતા સુધીમાં મસ્તરામજી મહારાજની જગ્યા, ભરવાડ વાડો, નાગલપર દરવાજા વગેરે જેવા નિચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણીનો ભરાવો તાં લોકો ઘરવખરી છોડીને સલામત સ્ળે ખસી ગયા હતા.

તળાવ નિર્માણના પ્રમ વર્ષે જ આ બનાવ બનતા તુરંત જ કોન્ટ્રાક્ટરના માણસો તા સરકારી ઈજનેર ચાલુ વરસાદે રાત્રી દરમિયાન કૃષ્ણ સાગર તળાવે પહોંચી જઈને સમગ્ર પરિસ્િિતનું જાત નિરીક્ષણ કર્યું હતુ. લોકોની સમયસરની જાગૃતિના કારણે તે વખતે કોઈપણ જાનહાની યેલ ન હતી.

૧.૦૬ મિલીયન ક્યુબિક મીટરની સંગ્રહ ક્ષમતા ધરાવતું આ કૃષ્ણ સાગર તળાવ ૧૯૯૧ સુધી વરસાદી પાણીી ભરાતું હતુ. પરંતુ ત્યારબાદના વર્ષોમાં આગળના ભાગે ચેકડેમોનું નિર્માણ તાં અા તળાવ ૨૫ ી ૫૦ ટકા જ પાણીી ભરાતું. ૨૦૦૭ ના સારા વરસાદના કારણે આ કૃષ્ણ સાગર તળાવ એક વખત ઓવર ફ્લો યું હતુ, પરંતુ ત્યારબાદ આ તળાવ સંપૂર્ણ ભરાયું ની.

કૃષ્ણ સાગર તળાવને નર્મદાના નીરી ભરવા માટેની બોટાદના શહેરીજનોની લાગણી અને માંગણીને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા આ દિશામાં નક્કર આયોજન સોના પગલા ભરવામાં આવ્યા જેના પરિણામે ૨૦૧૨માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અહિં આવીને સૌની યોજના અંતર્ગત કૃષ્ણ સાગર તળાવમાં નર્મદાના નીર લાવવાના કાર્યનું ખાતમૂર્હુત કર્યું હતુ. જે કાર્ય પૂર્ણ તાં હવે આગામી તા. ૧૭ મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કૃષ્ણ સાગર તળાવમાં નર્મદાના નીરના વધામણા કરી લોકાર્પણ કરશે.

આ કૃષ્ણ સાગર તળાવ નર્મદાના નીરી સંપૂર્ણ ભરાતા બોટાદ શહેરની અંદાજીત ૧.૧૩ લાખની વસતીને પીવાનું પાણી તો મળશે જ પરંતુ તેની સાો સા તળાવ આસપાસના રહેવાસી તા સોસાયટીના બોરના પાણીના સ્તર પણ ઉંચા આવશે અને રિચાર્જ શે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.