Abtak Media Google News

શ્રીદેવીની અંતિમ ક્ષણો વિશે બોની કપુરની મિત્ર કોમલ નાહતા સાથેની વાતચીત:લગ્નના ૨૪ વર્ષમાં વિદેશ પ્રવાસ માટે મેં શ્રી ને કયારેય એકલી છોડી ન હતી – બોની કપુર:શ્રીદેવી પ્રેમથી બોની કપુરને ‘પાપા’કહી બોલાવતી જયારે બોની કપુર શ્રીની ‘જાન’કહેતાં

બોલીવુડની ચાંદની અને હવાહવાઇ તરીકે જાણીતી અભિનેત્રી શ્રીદેવીએ કાયમી વિદાય લઇ લીધી છે. શ્રીદેવીના મોતના સમાચાર સાંભળતા બોલીવુડથી માંી તેમનો ચાહક વર્ગ તમામ સ્તબ્ધ થઇ ગયા હતા. ર૪ ફેબ્રુઆરીની રાત શ્રીદેવીના ચાહકો માટે અત્યંત ચોંકાવનાર અને દુ:ખદાયી નીવડી હતી. શ્રીદેવીના રહસ્યમય મોત પાછળ ઘણી અટકળો લગાવાઇ હતી. પરંતુ શ્રીદેવીના પતિ અને ફીલ્મ પ્રોડયુસર બોનીકપુરે આ વિશે ખુલાસો કર્યો છે અને શ્રીદેવીના અંતિમ ક્ષણો વિશે વિગતવાર વાતો રજુ કરી હતી.

દુબઇમાં લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયેલા શ્રીદેવીના મોતથી કપુર પરીવારમાં શોક વ્યાપી ગયો છે. શ્રીદેવીનું મોત તે જે હોટેલમાં રોકાયા હતા તેના બાથરુમમાં થયું હતું. પહેલા કહેવાયું હતું કે કાર્ડિયક અરેસ્ટને કારણે શ્રીદેવીનું મોત થયું છે પરંતુ પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં કહેવાયું કે, શ્રીદેવીનું મોત એકિસડન્ટલ ફાઉનીઁગ એટલે કે દુર્ધનાવશ ડુબવાને કારણે થયું છે. એમ પણ કહેવાયું હતું કે, શરાબના નશાથી શ્રીદેવી બાથટબમાં પડી ગયા અને મોત નિપજયું આમ, આ ઘટના ક્રમ વિશે જાત જાતની અટકળો લાગી હતી. પરંતુ ચાહકોની ભાવનાને ઘ્યાને રાખી શ્રીદેવીના પતિ બોનીકપુરે ખુલાસો કર્યો કે આખરે મૃત્યુની રાત્રે દુબઇની હોટેલમાં શું થયું હતું. બોજી કપુરે શ્રીદેવીના મોત વિશેની વાતચીત તેની એક મિત્ર કોમલ નાહતા સાથે કરી હતી અને કોમલ નાહતાએ આ વાતચીત તેની એક પોસ્ટમાં જણાવી છ કે કોમલ નાહતાએ લખ્યું છે કે, બોની કપુરે શ્રીદેવીને પ્રયોઝ કર્યુ હતું ત્યારથી તેઓ નાના-મોટા સરપ્રાઇઝ આપતા રહ્યા છે. બોની કપુર દુબઇમાં પોતાની બહેનના દીકરા મોહિત મારવાહ ના લગ્નમાં સામેલ થવા શ્રીદેવી અને નાની દીકરી ખુશી સાથે ગયા હતા. લગ્ન સમારોહ પુર્ણ થયા બાદ બોની કપુર ખુશી સાથે ભારત પાછા આવી ગયા કારણ કે રર ફેબ્રુઆરી ના રોજ લખનઉમાં તેમની એક મીટીંગ હતી જયારે શ્રીદેવી દુબઇમાં જ રોકાયા કારણ કે તેથી તેની મોટી દીકરી જહાન્વી માટે શોપીંગ કરવા ઇચ્છતા હતા. બોની કપુરે ર૪ તારીખે સવારે શ્રીદેવી સાથે ફોન પર વાત કરી તો તેણીએ કહ્યું કે પાપા હું તમને ખુબ જ મિસ કહ્યું છું શ્રીદેવી પ્રેમથી બોની કપુરને પાપા કહીને બોલાવતા.

જયારે બોની કપુર શ્રીદેવીને જાન કહેતા ફોન પર બોની કપુરે કહ્યું હું પણ તને ખુબ જ મિસ કરું છું. બોનીકપુરે આગળ કોમલ નાહતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શ્રીદેવીને એકલા રહેવાની આદત ન હતી જહાન્વીએ પિતા બોની કપુરને આઇડીયા આપ્યો કે, મમ્મીને એકલા રહેવાની આદત નથી  તેઓ પાસપોર્ટ જેવા અગત્યના ડોકયુમેન્ટ ખોઇ શકે છે. આપી તમે પણ દુબઇ પાછા જાઓ અને મમ્મીને સરપ્રાઇઝ આપો.

બોની કપુરે વાતચીતમાં વધુમાં કહ્યું કે, લગ્નના ર૪ વર્ષમાં મે કયારેય શ્રીદેવીને વિદેશ પ્રવાસ માટે એકલી છોડયા નથી જો કે આ પહેલા શ્રીદેવી ન્યુજર્સી અને અન્ય એક જગ્યાએ એમ બે વાર વિદેશ પ્રવાસ માટે  એકલા ગયા હતા પરંતુ આ દરમિયાન પણ મે શ્રીદેવી સાથે મારા મિત્રની પત્નીને તેમનું ઘ્યાન રાખવા સાથે મોકલ્યા હતા.

ર૪ ફેબ્રુઆરીની બપોરે ૩.૩૦ વાગ્યે બોની કપુરે દુબઇની ફલાઇટ પકડી અને સરપ્રાઇઝ આપવા શ્રીદેવીને જણાવી દીધું હતું કે હું મીટીંગમાં હઇશ આપી આગામી થોડી કલાક માટે મારો ફોન સ્વીચ ઓફ હશે વાત થઇ શકશે નહી પણ હું જેવો મીટીંગમાંથી બહાર આવીશ તને ફોન કરીશ. આમ બોની કપુરે શ્રીદેવીને સરપ્રાઇઝ આપવા ખોટું કહ્યું, સાંજે ૬.૩૦ વાગ્યે દુબઇની હોટલ જુમેદરાહ એમીરાત ટાવરમાં બોની કપુર પહોચ્યા.શ્રીદેવીને ભનક પણ પડવા ન દીધી અને તેઓ દુબઇ પહોંચી ગયા ડુપ્લીકેટ ચાવીની મદદથી બોની કપુર શ્રીદેવીના રુમમાં ગયા અને સરપ્રાઇઝ આપી. બોની કપુરને જોઇને શ્રીદેવી ખુબજ ખુશ થઇ ગયા જો કે શ્રીદેવીએ ત્યારે કહ્યું હતું કે, તે જાણતા હતા કે બોની કપુર તેમને મળવા ચોકકસ આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.