Abtak Media Google News

હિરાની અત્યારે મુન્નાભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મની તૈયારી કરી રહ્યા છે ત્યાં જ ’મી ટૂ’ નો બોમ્બ બ્લાસ્ટ

મુન્ના ભાઈ  સિરીઝ, થ્રી ઇડિયટ, પી. કે., સંજુ જેવી ધરખમ ફિલ્મો ના નિર્દેશક રાજકુમાર હિરાની ઉર્ફે રાજુ હિરાની ઉપર યૌન શોષણ નો આરોપ લાગશે તેવું કોઈ વિચારી ન શકે પરંતુ આવું બન્યું છે.

ફિલ્મ સંજુ ની તેમની સહ નિર્દેશિંકા અટલે કે આસિસ્ટન્ટ નો સર રાજુ હિરાની પર આરોપ છે કે તેમણે ૨૦૧૮ માં માર્ચ થી સપ્ટેમ્બર માસ દરમિયાન તેનું યૌન શોષણ કર્યું હતું. આ તબક્કો સંજુ ના નિર્માણ અને પ્રમોશન નો હતો. તેથી સ્વાભાવિક રીતે તેઓ એક બીજા ને કંપની આપતા હતા. બીજી તરફ હિરાની એ આરોપ ને નકારી કાઢી કહ્યું હતું કે હું જેને મારી સ્ટુડન્ટ માનું છું તેના આ બયાન થી વધારે દુખી થયો છું. હું ચોંકી ઉઠ્યો છું.

અત્યારે આ મામલો નિર્માતા વિધુ વિનોદ ચોપરા પાસે છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશે. અન્યાય નહીં થવા દે. એક અંગ્રેજી અડધિયું અખબાર (તેબ્લોઈડ) હાફ પોસ્ટ ના અહેવાલ મુજબ હાલ તુરંત વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ એક લડકી કો દેખા તો ઐસા લગા ના પોસ્ટર માં થી રાજકુમાર હિરાની નું નામ દૂર કરી દેવામાં આવ્યું છે.

રાજકુમાર હિરાની ઉર્ફે રાજુ હિરાની ઉપર યૌન શોષણ નો આરોપ લાગ્યો ત્યાર બાદ હવે બોલીવુડ ની પ્રતિક્રિયા સામે આવશે. કેમકે હિરાની મોટા ગજા ના ફિલ્મ નિર્દેશક છે. કલાકારો તેમની ફિલ્મ માં કામ કરવા રિતસર માનતા અને બાધા રાખતા હોય છે.

રાજકુમારી હિરાની એ ક્હ્યું કે  કોઈ મીડિયા સમક્ષ રજૂઆત કરવા ને બદલે આરોપ માં સચ્ચાઈ હોય તો કાનૂન વ્યવસ્થા કરવામાં આવી છે. બાય ધ વે રાજકુમાર હિરાની અત્યારે મુન્ના ભાઈ સિરીઝ ની ત્રીજી ફિલ્મ ની તૈયારી કરી રહ્યા છે ત્યાં જ આ મી ટૂ નો બોમ્બ બ્લાસ્ટ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.