Abtak Media Google News

વિશ્ર્વ રકતદાન દિવસે કેન્દ્ર સરકારના નિયમ અમલી બનાવ્યો રાજયમાં બ્લડ ડોનેશનમાં પાંચ વર્ષમાં ૭ ટકાનો વધારો

ગુજરાતમાં ઘણા જિલ્લા છે જ્યાં પૂરતી સંખ્યામાં બ્લડ ડોનેશન ઈ શકતું ની. જેના કારણે જે તે જિલ્લાની બ્લડ બેંકને જરૂરિયાત પડે ત્યારે બ્લડ મળવામાં મુશ્કેલી પડતી હોય છે. આવી પરિસ્િિતમાં ઘણી વખત જરૂરિયાતમંદ વ્યક્તિ બ્લડ વગર મોતને ભેટે છે. આવા સંજોગોને નિવારવા તાજેતરમાં ભારત સરકારના ગેજેટમાં નોટિફિકેશન કરવામાં આવ્યું છે અને દેશના દરેક રાજ્યને એકીબીજા જિલ્લામાં બ્લડ યુનિટ ટ્રાન્સફર કરવા મંજૂરી આપી છે. ગેજેટ નોટિફિકેશનના કારણે જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા છેવાડાના વ્યક્તિને જરૂર પડે બ્લડ ઉપલબ્ધ કરાવી શકાશે.૧૪ જૂન વર્લ્ડ બ્લડ ડોનેશન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વૈચ્છિક રક્તદાન કરવા લોકોમાં જાગૃતિ આવે તે આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. ૠજઈઇઝ (ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફ્યૂઝન) દ્વારા મળતા આંકડાં મુજબ ગુજરાતમાં સ્વેચ્છિક રક્તદાતાઓની સંખ્યા વધી છે. વર્ષ ૨૦૧૫-૧૬ની સરખામણીએ વર્ષ ૨૦૧૬-૧૭માં બ્લડ ડોનેશનમાં લગભગ ૭ ટકાનો વધારો યો છે. ગયા વર્ષે સમગ્ર ગુજરાતમાં લગભગ ૮.૬૫ લાખ યુનિટ બ્લડ રાજ્યની તમામ બ્લડ બેંકમાં એકત્ર યું હતું. ગયા વર્ષે રાજ્યમાં ૭ હજાર જેટલા બ્લડ કેમ્પ યોજાયા હતાં જેમાં આશરે ૪ લાખ યુનિટ બ્લડ એકત્ર યું હતું.

એક અંદાજ મુજબ રાજ્યની કુલ વસ્તીના એક ટકા વસ્તી જેટલું બ્લડ ડોનેશન વું જોઈએ ત્યારે ગુજરાતમાં ૧ ટકા કરતા વધારે બ્લડ ડોનેશન ઈ રહ્યું છે. ખાસ કરીને ેલેસેમિયા, સિકલસેલ અને હિમોફિલિયાના દર્દીઓને વારંવાર બ્લડ ચઢાવવાની જરૂર પડતી હોય છે. બ્લડ ટ્રાન્સફ્લૂઝન માટે અત્યાર સુધી હોલ બ્લડનો ક્ધસેપ્ટ હતો, પરંતુ હવે ટેક્નોલોજીના કારણે બ્લડના સ્પેસિફિક તત્વોને જુદા પાડી એક જ યુનિટ બ્લડમાંી ત્રણ પ્રકારના જુદાજુદા દર્દી માટે ઉપયોગમાં લઈ શકાય છે. સ્વૈચ્છિક રક્તદાન માટે ગુજરાતમાં અમદાવાદ શહેર મોખરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.