Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં શનિવારે બપોરે એલઓસી ની પાસે બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં સેનાના એક મેજર શહીદ થઇ ગયા છે.જમ્મુ-કાશ્મીરના રાજૌરીના નૌશેરા સેક્ટરમાં કામચલાઉ વિસ્ફોટક ઉપકરણને ડિફ્યૂઝ કરતી વખતે બ્લાસ્ટ થયો હતો. જેમાં મેજર શહીદ થયા છે. આ એક્સપ્લોઝિવને ઘૂસણખોરોએ LoC નજીક પ્લાન્ટ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, હજુ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા 44 જવાનોની શહીદીમાંથી દેશ બહાર નથી આવ્યો ત્યાં વધુ એક મેજર શહીદ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.