કેન્દ્રની મોદી સરકારની અણધડ અને દિશાવિહીન આર્થિક નીતિના કારણે રાતોરાત દેશના ૧૨૫ કરોડ નાગરિકો પર થોપી દેવામાં આવેલ નોટબંધીના નિર્ણયને તા.૮મી નવેમ્બરના રોજ એક વર્ષ પૂર્ણ થશે. ત્યારે કેન્દ્રની ભાજપ સરકારના આર્થિક પાયમાલીના નિર્ણય સામે દેશના નાગરિકોના હિતમાં રાજયના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા શહેર-જિલ્લાના મુખ્ય ચાર રસ્તા પર કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમની માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા વિચાર્યા વિના લીધેલ પગલાં કારણે દેશમાં તમામ ધંધા-રોજગાર પર અને તમામ વર્ગને ભારે સામનો કરવો પડયો છે. નોટો બદલવા માટે દેશના નાગરિકોમાં અંધાધૂધી ફેલાઈ ગઈ જેના કારણે અનેક જગ્યાઓએ મૃત્યુની ઘટનાઓ પણ બની હતી. દેશના અર્થતંત્રને મોટાપાયે માઠી અસર થઈ છે. નાના-મોટા વેપારીઓ ધંધા રોજગાર પડી ભાગ્યા છે.
Trending
- ઉનાળામાં દૂધને બગડવાથી બચાવવા માટે અપનાવો આ ટીપ્સ, ફ્રિજની પણ જરૂર નહીં પડે
- સુરત:ડાયમંડ બુર્સને ધમધમતું કરવા કમિટીના પ્રયાસ
- સુરતના નવા પોલીસ કમિશનરની ગુનેગારો સામે લાલ આંખ
- કચ્છના નાના રણ માટે શિક્ષણ વિભાગે શરૂ કરેલી બસોની હાલત ગંભીર
- સાવધાન!!! સુરતમાં ડુપ્લીકેટ ખાદ્યતેલ વેચાણનું કૌભાંડ ઝડપાયું
- 20 થી વધુ કાર ભાડે લઇ હડપ કરી જનાર ઠગ બેલડી હાથવેંતમાં
- માધવપુરના મેળાના બીજા દિવસે ઉત્તર પૂર્વના રાજ્યો અને ગુજરાતના ખેલાડીઓ વચ્ચે ખીલદિલીપૂર્વકનો ‘રમતોત્સવ’
- શું તમને પણ આખો દિવસ AC વગર નથી ચાલતું તો પેલા જાણી લો આ વાત