Abtak Media Google News

કાર્યાજલી સેવા સપ્તાહ અંતર્ગત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી પંડિત દીનદયાળજીની જન્મજયંતી સુધી રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપ દ્વારા કાર્યાંજલી સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

તે અંતર્ગત શહેર ભાજપ દ્વારા વિધાન વાઈઝ સ્વચ્છતા અભિયાન હેઠળ શ્રમદાન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત વિધાનસભા-૬૮ના વિસ્તારોમાં શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, દલસુખ જાગાણી, મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, સોમભાઈ ભાલીયા, નરેશ પ્રજાપતિ, મનસુખ જાદવ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.