Abtak Media Google News

કાર્યાજલી સેવા સપ્તાહ અંતર્ગત.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસથી પંડીત દીનદયાળજીની જન્મજયંતિ તા.રપમી સુધી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાધાણીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપ દ્વારા કાર્યાજલી સેવા સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત શહેરના વોર્ડ નં.૭ માં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. આ તકે મનપાના દંડક અજય પરમાર, કોર્પોરેટર મીનાબેન પારેખ, વોર્ડ મહામંત્રી રમેશભાઇ પંડયા, કીરીટ ગોહેલ, મનોજ ડોડીયા, રાજુભાઇ મુંધવા, ઇશ્ર્વર જીતીયા, સહીતના બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.