Abtak Media Google News

બિહારની લલીત નારાયણ મિથિલા યુનિવર્સિટી દ્વારા બીકોમ પરીક્ષાઓ માટે બહાર પાડવામાં આવેલ વિદ્યાર્થીઓના એડમીટ કાર્ડમાં છબરડો થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં એક એડમીટ કાર્ડમાં વિદ્યાર્થીના ફોટાને બદલે હિંદુધર્મના ભગવાન ગણેશનો ફોટો છપાઇ ગયો હતો. આથી આ એડમીટ કાર્ડની પ્રક્રિયામાં છબરડાઓ થતા હોવાનું પ્રકરણ સામે આવ્યુ છે જ્યારે યુનિવર્સિટીના પરિક્ષા નિયંત્રક કુલાનંદ યાદવે જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં કોઇ મુશ્કેલી નહી પડે.એડમીડ કાર્ડમાં ગણેશજીનો ફોટો  છપાઇ જવાની બાબતમાં યોગ્ય તપાસ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.