Abtak Media Google News

રામમંદિરની તરફેણમાં ચૂકાદો આવતા

રાજયના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જયાં સુધી રામ મંદિરની તરફેણમાં કોઈ ચુકાદો ન આવે ત્યાં સુધી મીઠાઈ કે કોઈપણ મીઠી વસ્તુ ન ખાવાની ટેક લીધી હતી. ત્યારે જયારે સર્વોચ્ચ ન્યાયાલયે રામમંદિર મુદ્દે ચૂકાદો આપી દીધો છે. ત્યારે સંગઠન સંરચના અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં શહેર ભાજપ કાર્યાલય, રાજકોટ મહાનગર ખાતે પધારેલ રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના હસ્તે એસ.એસ.ની મીઠાઈથી મીઠું મોઢું કરી પોતાની માનતા પૂર્ણ કરી હતી.

આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી ગોરધનભાઈ ઝડફીયા, હર્ષદગીરી ગોસ્વામી, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, અને શહેર ભાજપ કારોબારી સભ્ય અને શિવશકિત ડેરીફાર્મવાળા જગદીશભાઈ અકબરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.