Abtak Media Google News

પોતાની દુકાનમાં જ આત્મહત્યા કરી : પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો

ભૂજ : શહેરના સરપટ ગેટ પાસે આવેલી રાજગોર સમાજવાડી સામે શાકભાજી નો વ્યવસાય કરતા આધેડે બીમારીથી કંટાળીને પોતાની દૂકાન મા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર , સરપટ ગેટ બહાર શિવ નગરમાં રહેતા અને શાકભાજીની દુકાન ધરાવતા 65 વર્ષીય મણીલાલ રામજી રાજગોર નામના આધેડે વહેલી સવારે દુકાનમાં ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી.તેઓ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા જેના કારણે આ પગલું ભર્યું હતું.બનાવ અંગે પોલીસને જાણ કરાતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.