રાજકોટના એરપોર્ટ રોડ પર વસુંધરા રેસીડેન્સીમાં વસુંધરા કા રાજા આકર્ષણ બન્યું છે. ગણપતિના દર્શન કરવા માટે આજુબાજુની સોસાયટીઓ તેમજ સોસાયટીના દરેક સભ્યો સાંજે મહાઆરતીમાં ઉમટી પડે છે. આ પ્રસંગે રાજકોટ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા અને તેમના ધર્મપત્ની વસુંધરા કા રાજાના દર્શન કરવા આવ્યા હતા ગણેશ ભગવાનની વિશાળ મૂર્તિ જોઈને તેઓ ભાવવિભોર બની ગયા હતા આ તબકકે તેમણે મહાઆરતી અને પુષ્પાંજલીનો લાભ લીધો હતો. દરમ્યાન વસુંધરા કા રાજાનું જે રીતે સોસાયટીનાં સભ્યોએ આયોજન કર્યું હતુ તેની કલેકટરે પ્રશંસા કરી હતી. સુંદર આયોજન બદલ તેમના ધર્મપત્ની પણ ગદગદીત થઈ ગયા હતા. સાથોસાથ વસુંધરા કા રાજાના દર્શન માટે શહેરના જોઈન્ટ પોલીસ કમિશ્નર ખત્રીએ પણ મહાઆરતી તથા પુષ્પાંજલીનો લાભ લીધો હતો. અને સુંદર આયોજન બદલ ગણેશ ઉત્સવ કમીટીનો આભાર માન્યો હતો. આ પ્રસંગે રાજકોટ જિલ્લાના નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયાએ પરિવારજનો સાથે વસુંધરા કા રાજાની મહાઆરતી તથા પુષ્પાંજલીનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે ગણેશ ઉત્સવ કમિટીએ મહાનુભાવોનો આભાર વ્યકત કર્યો હતો.
Trending
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ
- મીડિયા કરતા પોલીસ કર્મીઓમાં કાર્યસંતોષ અને કાર્ય સામેલગીરીનું પ્રમાણ વધુ: સર્વે