Abtak Media Google News

પોલીસે ગણતરીની કલાકોમાં જ ચારેય નરાધમની કરી ધરપકડ

ભાવનગરના યોગીનગર વિસ્તારની પંદર વર્ષની સગીર બાળાનું ચાર શખ્સોએ શિવાજી સર્કલ પાસેથી અપહરણ કરી સામુહીક બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચારેય શખ્સો સામે ગેંગ રેપનો ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના યોગીનગર વિસ્તારમાં રહેતી અને અભ્યાસ કરતી ૧૫ વર્ષની તરૂણીનું શિવાજી સર્કલ પાસેતી ગત તા.૮મી મેના રોજ સાંજના સાતેક વાગે પ્રકાશ , મનિષ, પ્રદિપ અને નિરવ નામના શખ્સોએ અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઇ જઇ ચારેય શખ્સોએ દુષ્કર્મ આચરી સગીર બાળાને મુકત કરતા તેણી પોતાના ઘરે જઇ પરિવારને આપવિતી જણાવતા પરિવારજનોએ ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ માટે દોડી ગયા હતા.

પોલીસે સગીર બાળાની ફરિયાદ પરથી ચારેય શખ્સો સામે સામુહીક બળાત્કાર ગુજારી ખૂનની ધમકી દીધાનું તેમજ તેણી અનુસુચિત જ્ઞાતિની હોવાનું જાણતા હોવા છતાં જ્ઞાતિ અંગે અપમાનિત કર્યા અંગેનો ગુનો નોંધી એસીએસટીસેલના ડીવાય.એસ.પી. સૈયદ સહિતના સ્ટાફે ચારેય શખ્સોની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.