Abtak Media Google News

ભાવનગર જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ હેડકોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવીને મળેલ સંયુકત બાતમી આધારે નિલમબાગ પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.નં-૩૨/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૫૦૬(૨),૧૧૪ વિ. મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી પૃથ્વીરાજસિંહ નીરૂભા જાડેજા ઉ.વ.૨૪ રહેવાસી ભરતનગર, યોગેશ્વરનગર, પ્લોટનં-૮૬૩૬ ભાવનગર વાળાને એસ.ટી. સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડેલ અને મજકુર ઇસમની ઉપરોકત ગુન્હામાં અન્ય નાસતા ફરતા અજાણ્યા ઇસમ બાબતે આગવી ઢબે પુછપરછ કરતા કિંજલભાઇ દીપકભાઇ જોષી રહે.

શિક્ષક સોસાયટી ભાવનગર વાળો હોવાનુ જણાવેલ જેથી ઉપરોકત ઇસમ કિંજલભાઇ દીપકભાઇ જોષી ઉ.વ.૨૪ રહે.શિક્ષક સોસાયટી પ્લોટનં-૧૩૬ ભાવનગરવાળાને બાતમી આધારે સર પી.પી. સાયન્સ કોલેજના ગેટ પાસેથી પકડી પાડી મજકુર બન્ને આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબની સુચનાથી હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહીલ તથા લગ્ધીરસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા બાવકુદાન ગઢવી જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.