Abtak Media Google News
ભાવનગર રેન્જ આઈ.જી.પી. શ્રી અમિતકુમાર વિશ્વકર્મા સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ આર.આર.સેલ સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ.જે સુચના મુજબ ભાવનગર, આર.આર.સેલ સ્‍ટાફનાં એ.એસ.આઈ. વી.ડી.ગોહિલ તથા હેડ કોન્સ. કિરણભાઈ સોલંકી  અમરેલી ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન એ.એસ.આઈ. વી.ડી. ગોહિલને બાતમી મળેલ કે, અમરેલી તાલુકા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૩૮/૨૦૧૭ ઇ.પી.કો. કલમઃ-૩૨૬,૫૦૪ જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી પ્રવીણ આલાભાઈ ચાવડા રે.મોટા માંડવડા જી.અમરેલી વાળો જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં પ્રવીણ આલાભાઈ ચાવડા રે.મોટા માંડવડા જી.અમરેલી વાળો મળી આવતાં તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને અમરેલી તાલુકા પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ છે.
  આમ,અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં છેલ્લાં એક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર આર.આર.સેલ ટીમને સફળતા મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.