Abtak Media Google News

ગીર સોમનાથના સુત્રાપાડા ખાતે કારડીયા રાજપૂત સમાજનો ૯મો સમૂહ લગ્ન યોજાયો વજુભાઇ વાળાની જાહેરાત.

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકા ખાતે કારડીયા રાજપુત સમાજનો ૯મો સમૂહ લગ્ન યોજાયો. જેમાં ૫૦ નવ દમપતિએ પ્રભુતામાં પગલાં પાડયા સમૂહ લગ્નમાં દરવર્ષની જેમ આ વર્ષ પણ કર્ણાટક ના રાજ્યપાલ વજુભાઇ વાળા ઉપસ્થિત રહયા હતા તેમજ માજી સંસદ દિનુભાઇ સોલંકી અને માજી મંત્રી જશા બારડ પન ઉપસ્થિત રહયા હતા સીએમ વિજયભાઈ રૂપાણીએ તમામ નવ દંપતિને મેરેજ સર્ટી ફિકેટ મોકલી આશીર્વાદ પાઠવ્યા હતા.

વજુભાઇ વાળા એ જનમેદની સંબોધતા કહ્યું હતું કે ખોડલધામ અને ઉમિયાધામની જેમ સુરેન્દ્રનગર તાલુકામાં કારડીયા રાજપૂત સમાજનું માં ભવાની ધામનું થશે ભવ્ય નિર્માણ ૧૭ એકરની વિશાળ જગ્યામાં અંદાજે એક અબજના ખર્ચે નિર્માણ પામશે ભવ્ય મંદિર કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ કરી જાહેરાત સુત્રાપાડા ખાતે કારડીયા રાજપૂત સમાજના સમૂહલગ્ન પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા. વજુભાઇ વાળા પ્રાસંગીક પ્રવચનમાં વજુભાઇએ મંદિર નિર્માણની કરી જાહેરાત સમાજના લોકોને અનુદાન માટે કરી અપીલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.