Abtak Media Google News

આગામી ૨૪મીએ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પૂર્ણાહુતિ

પુરૂષોતમ માસમાં પિતૃના મોક્ષાર્થે તથા આત્મ કલ્યાણઅર્થે સખી મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તા.૨૪મે સુધી બપોરે ૩ થી ૭ કલાકે સોજીત્રાનગર ચોક, ગુલાબનગર પાણીના ટાંકા પાસે, સોમનાથ મંદિરની સામે, રૈયારોડ, રાજકોટ ખાતે કરાયું છે. જેમાં શાસ્ત્રી નિતીનભાઈ કે. આચાર્ય કથા કરી રહ્યા છે.

Gulab2સખી મંડળ રાજકોટ વતી સોનલબેન કિશોરભાઈ રાજપોપટ અબતકને જણાવે છે કે ભાગવત સપ્તાહ કથાની શરૂઆત ૧૭ મેથી થઈ ચૂકી છે. જે આગામી ૨૪મે કથાની પૂર્ણાહુતિ થશે. શાસ્ત્રી નિતીનભાઈ કે. આચાર્યની આ ૭મી કથા છે. રૈયા રોડ વોર્ડ નં.૮ તથા આસપાસના વિસ્તારનાં લોકો આ કથાનો લાભ લઈ રહ્યા છે.

દરરોજ ૪૦૦થી વધુ લોકો કથાનો લાભ લઈ રહ્યા છે. પૂરૂષોતમ માસમાં ઘર આંગણે કથાનું આયોજન કરવા બદલ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ તથા સખી મંડળને અભિનંદન તથા આભાર તેમજ જાહેર જનતાને આ કથાનો લાભ લેવાનો અનુરોધ કરાયો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.