Abtak Media Google News

નવી પરીક્ષા માટેની તારીખો હવે જાહેર કરાશે

કોરોના કટોકટીના પગલે વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઈડ લાઈન મુજબ જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તમામ પરીક્ષાઓ મોકુફ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તારીખ ૭ થી ૧૭ જુલાઇ દરમિયાન પરીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ યુનિ. દ્વારા આ તમામ કાર્યક્રમો અને પરીક્ષાનું આખું સમય પત્રક હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે અને હવે નવી પરીક્ષા ક્યારે લેવાશે તે નક્કી થયા બાદ નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ કુલપતિ ડો ચેતન ત્રિવેદી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે યુજી સેમ. ૬, એલએલબી સેમ ૨, ૪, ૬, બી.એડ સેમ ૨, ૪,  પીજી સેમ ૨, ૪, પી જી ડી સી એ ૨ અને ડી એલ એમ ટી પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ તમામ પરીક્ષાઓ હાલ પૂરતી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવી હોવાની યુનિ. દ્વારા સતાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.