Abtak Media Google News

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે જો અયોધ્યામાં રામમંદિર ફરીથી ન બનાવવામાં આવ્યું તો આપણી સંસ્કૃતિના મૂળિયા કપાઇ જશે. આપણે રામ મંદિર જોઇએ છે. આમ તો રામ મંદિરો કંઇ ઓછા નથી, પરંતુ રામની જન્મભૂમિ એક જ છે. લોકોએ ત્યાં તોડફોડ કરી. તેને લઇને આપણા મનમાં કોઇ દ્વેષ નથી. આપણે હિંદુ છીએ. હવે આપણે સ્વતંત્ર છીએ તો આપણા દેશમાં જ્યાં તોડફોડ થઇ છે, તેને ઠીક કરીશું કે નહીં.

ભાગવતે કહ્યું- મંદિર ત્યાં જ બનશે જ્યાં પહેલા હતું

મોહન ભાગવતે રવિવારે પાલઘર જિલ્લાના દહાણૂમાં વિરાટ હિંદુ સંમેલનમાં હિસ્સો લીધો હતો. તે જ સમયે એકવાર ફરી રામ મંદિર પોતાના વિચારો રાખે.

તેમણે કહ્યું”એમાં કોઇ શંકા નથી કે મંદિર ત્યાં જ બનાવવામાં આવશે, જ્યાં પહેલા હતું.”આરએસએસ ચીફે હાલમાં દેશના ઘણા હિસ્સાઓમાં થયેલી જાતિગત હિંસા અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કેટલીક પાર્ટીઓને આ માટે જવાબદાર ઠેરવ્યા. તેમણે કહ્યું કે જેમની દુકાનો બંધ થઇ ગઇ (જે ચૂંટણીમાં હારી ગયા), તેઓ હવે લોકોને જાતિના મુદ્દાઓ પર લડવા માટે ઉશ્કેરી રહ્યા છે.

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.