Abtak Media Google News

સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના અથાલમાં આવેલી સુધીર પાવર લિમિટેડ દ્વારા કિલવણી નાકા જંકશનનું બ્યુટીફીકેશન કરાશે. જેના માટે વિધિવત પુજા અર્ચના સાથે શરૂઆત કરવામાં આવી. આ અવસર પર પ્રશાસનને અધિકારી કરણજીત વડોદરીયા સાથે કંપનીના અધિકારીઓ તેમજ નગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. અહીં પૂજા-અર્ચના સાથે આ જંકશનના બ્યુટીફીકેશનનું કાર્ય શરૂ કરાયું. અહીં એક સર્કલ બનાવવામાં આવશે સાથે જ લાઈટની વ્યવસ્થા પણ કરાશે. કિલવણી નાકા જંકશનની સુંદરતા વધશે. આ અવસરે નગરપાલિકાના અધિકારી ભટ્ટ, કંપનીના યુસુફ ખાન સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા. જયાં કરણજીત વડોદરીયા સહિતના લોકોએ મુહૂર્ત કર્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.