Abtak Media Google News

જામનગરમાં પૂ.ધીરગુરુદેવના સાંનિઘ્યે પ્રથમવાર દિવ્ય મન શાંતિ જાપમાં ભાવિકો ભાવવિભોર

સમસ્ત સ્થાનકવાસી જૈન સમાજના ઉપક્રમે અમેરીકા વસતા ડો.ચંદ્રાબેન મહેન્દ્રભાઈ વારીઆ પ્રેરિત રૂક્ષ્મણીબેન મગનલાલ વોરા અને કમળાબેન રંગીલદાસ વારીઆની સ્મૃતિમાં ડુંગર દરબાર, ઓસવાલ સેન્ટરમાં પ્રથમ જ વાર ગોંડલ સંપ્રદાયના પૂ.શ્રી ધીરગુરુદેવના શુભંકર સાંનિઘ્યે દિવ્ય મન શાંતિ જાપના પ્રારંભે ભાવિકો ભાવ વિભોર બન્યા હતા. આ પ્રસંગે પૂ.અવનીજી મ.સ. ઠાણા-૨, પૂ.માલતીજી મ.સ. આદિ, બોટાદના પૂ.અરૂણાબાઈ મ.સ.આદિ પધાર્યા હતા.

પૂ.શ્રી ધીરગુરુદેવે જણાવેલ કે, ચિંતા નહીં ચિંતન કરો, વ્યથા નહીં વ્યવસ્થા કરો, જોયા કરો જતું કરોની ભાવનાથી જીવનમાં પ્રગતિ થયા વિના રહેશે નહીં. જૈન સમાજવતી ડો.ચંદ્રાબેન વારીઆનું નવકાર મહામંત્રની ગોલ્ડ ફ્રેમથી જૈન અગ્રણીઓએ સન્માન કરી બિરદાવ્યા હતા. દિવ્ય જાપ પ્રસંગે રાજકોટ, ધ્રોલ, ખંભાળીયા, કાલાવડ, લાલપુર, મુંબઈ વગેરે તેમજ જામનગરના વિવિધ સંઘોના ભાવિકો જોડાયા હતા. સમગ્ર વ્યવસ્થા નીલેશ ટોલીયાના માર્ગદર્શન હેઠળ સંઘસેવકોએ સંભાળી હતી. પૂ.શ્રી ધીરગુરુદેવ આજે સવારે ૮:૩૦ કલાકે લીમડાવારા ઉપાશ્રય, ચાંદી બજાર પધાર્યા બાદ ૯:૩૦ કલાકે પ્રવચન અને બપોરે ૪ કલાકે લાલપુર તરફ વિહાર કર્યા બાદ તા.૧૫ના સવારે ૮ કલાકે લાલપુર અને ૯:૩૦ કલાકે જાહેર પ્રવચન બાદ સાંજે વેરાડ તરફ પધારશે.

તા.૧૬ને શનિવારે સવારે ૮:૩૦ કલાકે કાટકોલામાં સ્વાગત સામૈયું અને વ્યાખ્યાન તેમજ તા.૧૭ને રવિવારે પૂ.શ્રી પ્રેમ ધીરગુરુદેવની ૩૮મી દીક્ષા જયંતિ અને દુબઈ-મસ્કત વસતાં માતુશ્રી ચંદનબેન ધીરજલાલ મણીયાર-ચંદ્રપ્રભુ જૈન ઉપાશ્રયની ઉદઘાટનવિધિ ઉજવાશે. આ પ્રસંગે શ્રી કિશોર, દિનેશ, કીર્તિ, પંકજ મણિયાર તરફથી ધુમાડાબંધ ગામ જમણ રાખેલ છે. બરવાળા સંપ્રદાયના આચાર્ય પૂ.ચંપકલાલજી મ.સા.એ વિ.સં.૧૯૯૭માં કાટકોલામાં સ્વયંદીક્ષા અંગીકાર કરેલ હતી. તા.૧૭ના સાંજે પૂ.ગુરુદેવ જન્મભૂમિ જશાપર પધારશે અને તા.૨૧ના ગુરુવારે પોરબંદરમાં શ્રી નિખીલ અને રાજેશ દફતરી (અમેરિકા) પ્રેરિત પાર્શ્વનાથ ઉપાશ્રયનું ભોજેશ્વર પ્લોટ ખાતે ઉદઘાટન યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.