Abtak Media Google News

પ્રથમ તબક્કામાં ૩ થી ૭ ઓક્ટો. વચ્ચે ૨૦૦ જિલ્લામાં જ્યારે બીજા તબક્કામાં ૧૧ ઓક્ટો. બાદ બાકીના ૨૦૦ જિલ્લાઓમાં ‘લોન મેળા’ યોજાશે

છેલ્લા થોડા સમયી સુસુપ્ત અવસમાં પહોંચી ગયેલી અર્થવ્યવસ્થામાં તેજી લાવવા માટે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે નવી જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું કે સરકારી બેન્કો આગલા મહિનાથી ૪૦૦ જિલ્લાઓમાં લોન મેળાનું આયોજન કરશે. આ યોજનામાં નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓને સો રાખીને ઘર ખરીદનાર અને ખેડૂતો પણ લાભ આપશે. ૩ ઓક્ટોબરથી ૭ ઓક્ટોબર સુધી પ્રથમ તબક્કામાં ૨૦૦ જિલ્લા કવર કરવામાં આવશે. બીજા તબક્કામાં ૧૧ ઓક્ટોબર બાદ બાકીના ૨૦૦ જિલ્લા કવર થશે.

જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓ સાથે બેઠક બાદ નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે પત્રકાર પરિષદમાં આ વિગતો આપતા જણાવ્યું હતું કે, રિઝર્વ બેંક દ્વારા પરિપત્ર પહેલા જ જારી કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, એમએસએમઇના દબાણ હેઠળ લોનને એનપીએ જાહેર ન કરવા જોઈએ. નાણાં પ્રધાને કહ્યું કે આનાથી એમએસએમઇ ક્ષેત્રને મદદ મળશે. નાણાં પ્રધાને કહ્યું કે બેંકોએ કેટલીક નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી)ની ઓળખ કરી છે જે લોન આપી શકે છે. આવી સ્થિતિમાં લોન લેવા ઇચ્છુક લોકોને રોકડ અને લોન મળી રહેશે.

સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે, કે બેન્કો લોન આપવાના આશયથી ૨૯ સપ્ટેમ્બર પહેલા ૨૦૦ જિલ્લામાં એનબીએફસી અને છૂટક લોનદાતાઓ સાથે બેઠક કરશે. બીજા તબક્કામાં ૧૦ મી ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર દરમિયાન ૨૦૦ અન્ય જિલ્લાઓમાં આવી બેઠકો યોજાશે. એટલે કે, કુલ ૪૦૦ જિલ્લાઓમાં આ પ્રકારની બેઠકો થશે. સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પાછળનો વિચાર તહેવારો દરમિયાન મહત્તમ લોન આપવાનું આયોજન છે. દિવાળી ઓક્ટોબર છે અને દેશમાં ખરીદી માટેનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. ખુલ્લી મીટિંગ્સ દરમિયાન રિટેલ, કૃષિ, એમએસએમઇ (માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) આવાસો અને અન્ય ક્ષેત્રો માટે લોન આપવામાં આવશે.

૩૧ માર્ચ સુધી નાના ઉદ્યોગકારોને લોન ભરવા માટે દબાણ નહીં કરાય

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ગુરુવારે બેન્કોને જણાવ્યું છે કે, માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ (એમએસએમઇ)ની કોઈપણ પ્રકારની લોનને ૩૧ માર્ચ, ૨૦૨૦ સુધી નોન-પરફોર્મિંગ એસેટ (એનપીએ) તરીકે જાહેર ન કરવી. મંત્રીએ કહ્યું હતું કે, વધારાના ધિરાણ આપવાની જરૂર હોય તો પણ, બેંકોએ આવા એમએસએમઇ સાથે બેસવાનો પ્રયત્ન કરવો જોઇએ અને પરિસ્થિતિમાંથી તેઓ કેવી રીતે શ્રેષ્ઠ બહાર આવી શકે તે માટે કામ કરવું જોઈએ. પીએસયુ બેંકોના વડાઓ સાથેની બેઠક બાદ મીડિયાને સંબોધન કરતાં સીતારામણે કહ્યું હતું કે રિઝર્વ બેન્કનો પહેલેથી જ એક પરિપત્ર છે જે લઘુ ઉદ્યોગકારોની તાણયુક્ત લોન ખાતાઓને નોન પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) જાહેર ન કરવામાં આવે તે માટેની જોગવાઈ કરે છે. નાણાં પ્રધાને એમ પણ કહ્યું હતું કે, બેંકોને પરિપત્રનું પાલન કરવા અને તાકીદ કરવામાં આવેલી એમએસએમઇ લોનને એનપીએ તરીકે જાહેર ન કરવા અને ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી જાહેર કરવાનું કહ્યું છે. તેમનું દેવું ફરી વળવાનું જોવું જોઈએ. આનાથી એમએસએમઇ ક્ષેત્રને મદદ મળશે, એમ સીતારમને જણાવીને ઉમેર્યું હતું કે, બેંકોએ કેટલીક એનબીએફસીને પણ ઓળખ આપી છે કે તેઓ ધિરાણ આપી શકે છે જેથી પૈસા માંગનારાઓને પ્રવાહીતા અને ક્રેડિટ મળી રહે. દેશમાં હાલ મોટાભાગના લઘુ ઉદ્યોગકારોની કાર્યક્ષમતા અને અસરકારકતામાં દયનીય છે અને તે તકનીક અને ઉત્પાદનોમાં જૂનો છે – તેથી જ ચીની ઉત્પાદનો બજારમાં સરળ પ્રવેશ કર્યો છે.

બજારમાં પ્રાણ પુરવા જીએસટી કાઉન્સિલ સફળ થશે? આજની મીટીંગ પર મીટ

વિવિધ કારણોસર ભારતીય બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર અર્થતંત્ર પર પડતા ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં દેશને જીડીપી ૫ ટકા જેવા નિમ્ન સીટી પહોચી જવા પામ્યો હતો. જેથી અર્થતંત્રમાં પ્રાણ પૂરવા કેન્દ્રની મોદી સરકારે વિવિધપગલા લેવાની જાહેરાત કરી છે. આ મંદીનો સૌથી વધુ અસર જે ક્ષેત્રમાં જોવા મળી રહી છે તેવો ઓટોમોબાઈલ સેકટરમાં જીએસટી ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવા માંગ ઉઠવા પામી છે. ત્યારે આજે મળનારી જીએસટી કાઉન્સીલની આ મુદે નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે.

આધારભૂત સુત્રોમાંથી મળેલી વિગતો મુજબ ઓટોમોબાઈલ સેકટરમાં ૧૦ ટકા જીએસટી ઘટાડવાની માંગણી સ્વીકારવામાં આવે તો કેન્દ્ર અને રાજય સરકારને દર વર્ષે ૫૦ હજાર રૂા.ની ખોટ સહન કરવી પડે તેમ છે. દરમિયાન કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળ રાજયો ચાલુ નાણાંકીય વર્ષમાં કરવેરા ઓછી વસુલાતને લીધે ઓટો ક્ષેત્ર, અથવાતો ગ્રાહક માલના કરવેરા દરમાં ઘટાડાનો પણ વિરોધ કરી રહ્યા છે. એપ્રીલથી જુલાઈના ગાળામાં દેશના ૨૦ રાજયોની કુલ કરની આવક ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૭% ઘટીને રૂા, ૪.૯ લાખ કરોડ થઈ છે.

જે રાજ્યોમાં ખાસ કરીને ટેક્સનો આંચકો લાગ્યો હતો, જેમાં આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને પંજાબ વેરાની વસૂલાત અનુક્રમે%, ૫૯ ટકા, ૩૫..૫% અને ૧૨..૫% ઘટી છે. કેરળના નાણાં પ્રધાન થોમસ આઇઝેકએ જણાવ્યું હતું કે, સરળ આવકના કારણે તે કોઈ પણ ઘટાડાનો વિરોધ કરશે. લગભગ બે દાયકામાં સૌથી ખરાબ મંદીથી ઝઝૂમી રહેલા ઓટો ક્ષેત્રે ૨૦ સપ્ટેમ્બરની જીએસટી પેનલની મીટિંગમાં વાહનોની માંગને પુનજીર્વિત કરવાના ટેક્સના દરો ઘટાડવા દબાણ કર્યું છે. કેન્દ્રીય નાણામંત્રીની અધ્યક્ષતામાં જીએસટી પેનલ છે અને રાજ્યના તમામ નાણા પ્રધાનો સભ્ય છે. પેનલ મત દ્વારા નિર્ણય લે છે. તેમ છતાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા શાસિત એવા રાજ્યો જો સરકાર આવી દરખાસ્ત કરે તો જીએસટી કટને ટેકો આપવા તૈયાર થઈ શકે છે.

“મારી દ્રષ્ટિએ, જો કેન્દ્રને લાગે છે કે તે અર્થતંત્ર માટે સારું છે, અને તેઓ રાજ્યોને વળતર આપશે, તો રાજ્યોએ આ દરખાસ્તને સમર્થન આપવું જોઈએ,” આસામના નાણા પ્રધાન હિંમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું.

જીએસટી મીટિંગને નજીકથી જોવામાં આવશે કારણ કે તે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં વૃદ્ધિને પુનજીર્વિત કરવામાં સરકારની ગંભીરતાનો અંદાજ રોકાણકારોને મદદ કરી શકે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે તાજેતરના સપ્તાહમાં રોકાણકારોની ભાવનાને પુનજીર્વિત કરવા અને એપ્રિલ-જૂનમાં વૃદ્ધિદરને ૨૫-ક્વાર્ટરના ૫% ની નીચી સપાટીથી વધારવા માટેના કેટલાક પગલાઓની રૂપરેખા આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.