Abtak Media Google News

બાલા હનુમાનજી મંદિર ગોંડલ દ્વારા સંચાલીત સત્યયુગ સંસ્થાપન અદ્યાત્મ અખંડ ધૂન મંડળ દ્વારા પ્રલયાત્મક વિપતિઓનાં નિવારણ માટે તથા ગૌમાતા સહિતના મૂકપ્રાણીઓની રક્ષા માટે બ્રહ્મમંત્રની અખંડધૂનનું આયોજન તા.૨૫ના રોજ સંસ્થાના ૩૮મા સ્થાપના દિનના દિવસે કરવામાં આવેલ છે.

આ સંસ્થા દ્વારા છેલ્લા ૩૭ ર્વેથી બ્રહ્મમંત્ર ‘ૐ હ્રીં રામ જયરામ જયજય રામ’ની અખંડ ધૂન ચાલી રહી છે. ત્યારે સસ્થા દ્વારા થઈ રહેલા સેવાકાર્યો પણ પ્રાણીઓની રક્ષા માટે કરવામાં આવી રહ્યા છે. તો આ ૩૮માં વર્ષમાં મંગલ પ્રવેશની ઉજવણીના દિવસે જનતાને લાભ લેવા સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ તકે અબતકની મુલાકાતે પ્રવિણસિંહ જાડેજા, ખીમજીભાઈ તોગડીયા, કાંતીભાઈ કયાડા, વિપુલભાઈ રાણપરીયા, રાજુભાઈ માંડલીયા, રાહુલભાઈ જોષી, મુકુંદભાઈ વ્યાસ, નારણભાઈ સોજીત્રા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.